કુંભ દરમિયાન અલ્હાબાદ રસ્તા પર ત્રણ મહિના માટે ટોલ ટેક્સ ફ્રી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અલ્હાબાદમાં થનારા કુંભ આગામી ત્રણ મહિના માટે રસ્તા પર કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં આવશે નહિ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અલ્હાબાદમાં થનારા કુંભના આગામી ત્રણ મહિના માટે રસ્તા પર કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં આવશે નહિ તે માટે સંબધીત વિભાગને આદેશ આપ્યો છે. આવી પરિસ્થિતિમાં, જો એનએચએઆઇ આ દરખાસ્તને સ્વીકારી લે તો અલ્હાબાદ જવા માટે કોઈ પણ માર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ આ બાબત સંબધિત વિભાગને કહ્યું છે કે તેઓ આ મુદ્દો એન.એચ.આઇ.એ સામે ઉઠાવે. તમને જણાવીએ કે મુખ્યમંત્રીને બે સંતોએ કુંભ દરમિયાન ટોલ ટેક્સ નહિ લેવા ગુઝારીશ કરી હતી જેને યોગી આદિત્યનાથએ સ્વીકારી લીધી છે.

બેઠકમાં કરી હતી માંગ
ગયા મહિને મુખ્યમંત્રી સાથે અખિલ ભારતીય અખાડા પરિસદના પ્રતિનિધિઓની બેઠક થઇ હતી, જેમાં પરિસદના પ્રમુખ મહંત ગિરી અને ભારતીય શ્રી પંચ દિગમ્બર અને અખાડાના મહંતએ અલ્હાબાદ આવનારી ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ ન લેવાની માંગણી કરી હતી, જે મુખ્યમંત્રીએ સ્વીકારી લીધી. તમામ મહંતોએ જણાવ્યું હતું કે આનાથી મહાકુંભ માં આવવા માટે અસુવિધા નહીં આવે. તેના પછી મુખ્યમંત્રીએ નિર્દેશ વિભાગને એ આદેશ આપ્યો છે કે તેઓ 15 ડિસેમ્બર 2018 થી 15 માર્ચ 2019 સુધી કોઈ પણ રસ્તા પર ટોલ ટેક્સ ન વસૂલવાનો પ્રસ્તાવ એનએચએઆઇ આગળ મૂકે.

શાહી સ્નાનમાં પુષ્પ વર્ષાની માંગ
મુખ્યમંત્રી સાથે બેઠકમાં 12 સંતોએ સૂચન કર્યું હતું કે શાહી સ્નાન દરમિયાન પુષ્પ વર્ષા કરાવવામાં આવે અને અલ્હાબાદના કિલ્લામાં આવેલી પ્રતિમાના દર્શન માટે તેને 24 કલાક ખુલ્લું રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે યોગી સરકાર આ વર્ષે ઑક્ટોમ્બર મહિના સુધી આઠ અખાડા પરિસદોમાં હાઉસિંગ અને સફાઈ સિસ્ટમો સુધારવામાં 9 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરશે. મહંત નરેન્દ્ર ગિરી મહારાજ એ શાહી સ્નાનના દિવસે સુરક્ષાની વ્યવસ્થા માટે અને દરેક 20 ઝોનમાં હોસ્પિટલોની સિસ્ટમ પૂરી પાડવાની પણ માંગ કરી હતી.

પંચકોષી પરિક્રમા શરૂ કરવાની માંગ
તે જ સમયે મુખ્યમંત્રીએ તમામ સંતોને કહ્યું છે કે તેઓ કુંભ દરમિયાન પોતાના શિબિરમાં આવતા લોકો પર નજર રાખશે. તે દરમિયાન સંતોએ રાજ્યમાં ફરી એકવાર પંચકોષી પરિક્રમા શરૂ કરવાની માગણી કરી છે. જેના પર મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પર કામ 5.13 કરોડ રૂપિયાથી શરૂ થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
