2020 સુધી દેશના 21 શહેરોમાં હશે પીવાના પાણીનું ભારે સંકટ
જો પરિસ્થિતિ બદલવા માટે આપણે જાતે આગળ નહિ આવીએ તો આવનારા અમુક વર્ષોમાં દેશની લગભગ અડધી વસ્તીને પીવાના પાણી માટે તરસવુ પડશે.
જળ જ જીવન છે એ તમે ઘણીવાર સાંભળ્યુ હશે પરંતુ તેમછતાં આપણે પાણીની બરબાદીને રોકવાની કોશિશ કરતા નથી. જો પરિસ્થિતિ બદલવા માટે આપણે જાતે આગળ નહિ આવીએ તો આવનારા અમુક વર્ષોમાં દેશની લગભગ અડધી વસ્તીને પીવાના પાણી માટે તરસવુ પડશે. હાલમાં જ નીતિ પંચનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે આગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધી દેશના 21 શહેરોનું ગ્રાઉન્ડ લેવલ વૉટર ખતમ થઈ જશે. જેના કારણે દેશની 10 કરોડ વસ્તીને પીવાના પાણી માટે તરસવુ પડશે. જે 21 શહેરોમા ગ્રાઉન્ડ લેવલ વૉટર આગલા વર્ષે ખતમ થઈ જશે તેમાં દિલ્લી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા શહેરો પણ શામેલ છે.

40 ટકા વસ્તી માટે નહિ હોય પાણી
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે 2030 સુધી દેશની 40 ટકા વસ્તી માટે પીવાનું પાણી નહિ હોય. જે રીતે નીતિ પંચનો આ રિપોર્ટ સામે આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે સ્થિતિ ઘણી ભયાનક બની ગઈ છે. આગલા વર્ષે દેશના 21 શહેરોએ પીવાના પાણી ઝઝૂમવુ પડશે. ચેન્નઈન ત્રણ નદીઓ, ચાર જળ સ્ત્રોત, પાંચ તળાવ, છ જંગલ સંપૂર્ણપણે સૂકાઈ ચૂક્યા છે. ચેન્નઈની આ હાલત ત્યારે છે જ્યારે અન્ય મેટ્રો શહેરોની તુલનામાં અહીં સારા વૉટર રિસોર્સ અને વરસાદના પાણીન બચાવવાની સારી વ્યવસ્થા છે.

આવનારી પેઢીઓ વિશે વિચારવુ પડશે
નેશનલ વૉટર એકેડમીના પૂર્વ ડાયરેક્ટર મનોહર ખુસલાનીએ કહ્યુ કે સરકાર ચેન્નઈના વિલવણીકરણ પર નિર્ભર છે કે જે ઘણુ મોંઘુ છે. એટલુ નહિ સરકાદ કદાચ એ ભૂલી ગઈ છે કે ધરતી પર સીમિત પાણી છે, સમુદ્ર પર સૂકાઈ જશે. આપણે બાળકો માટે, આવનારી પેઢીઓ માટે શું છોડીને જઈશુ. આપણી પાસે બહુ પૈસા હોઈ શકે છે પરંતુ આપણે આપણા બાળકોને એ ન કહી શકીએ કે પૈસા પી લે. સમુદ્રના પાણીનો ઉપયોગ કરવો, તેનુ વિલવણીકરણ કરવુ સમાધાન નથી. પરંતુ આપણા પાણીની ઉપજ વધારવી પડશે.

આપણે મળીને કામ કરવુ પડશે
મનોહર ખુસલાનીએ કહ્યુ કે આ આપણી અને સરકારની જવાબદારી છે કે આપણે પાણીને બચાવીએ, સાથે જ ગ્રાઉન્ડ લેવ વૉટરને વધારવાની દેશવાસીઓને મળીને કોશિશ કરવી જોઈએ. વરસાદના પાણીને સંરક્ષિત કરવુ બહુ મુશ્કેલ કામ નથી. તમે સરળતાથી સેસ પાણીને બચાવી શકો છો. આપણે આના માટે પોતાનુ દિલ મોટુ કરવુ પડશે, પોતાની જવાબદારીઓને સમજવી પડશે, આવનારી પેઢીઓ વિશે વિચારવુ પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
