UPAના વિસ્તારનો સમય આવી ગયો છે, શરદ પવારને સોંપવામાં આવે કમાન: શીવસેના
શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે તમામ પક્ષોએ એક થવું જોઈએ. સંજય રાઉત કહે છે કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએના વિસ્તરણનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે નબળો વિરોધ પક્ષ લોકશ
શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે તમામ પક્ષોએ એક થવું જોઈએ. સંજય રાઉત કહે છે કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએના વિસ્તરણનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે નબળો વિરોધ પક્ષ લોકશાહી માટે ખૂબ જ ખરાબ છે. આ સાથે સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે યુપીએની કમાન શરદ પવારને સોંપવી જોઈએ.

સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએનો વિસ્તારવાનો સમય આવી ગયો છે, ત્યારે કેન્દ્રના 'સરમુખત્યારશાહી વલણ' સામે તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થવું જોઈએ. તેમણે કહ્યું કે ડાબેરી બધા પક્ષોએ એક થવું જોઈએ જેથી મોદી સરકારના તાનાશાહી વલણને એક મજબુત વિકલ્પ આપી શકાય. આ સાથે તેમણે યુપીએની કમાન શરદ પવારને સોંપવાની માંગ પણ કરી હતી.
સંજય રાઉતે કહ્યું કે સોનિયા ગાંધીએ આ વર્ષોમાં સંયુક્ત વિકાસશીલ મોરચા (યુપીએ) ની અસરકારક રીતે નેતૃત્વ કર્યું. હવે સમય આવી ગયો છે કે યુપીએમાં વધુ જોડાણ કરવામાં આવે. ઘણાં પ્રાદેશિક પક્ષો છે જે જુદા જુદા રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ લડી રહ્યા છે, પરંતુ તે યુપીએનો ભાગ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓએ એક છત નીચે આવવું જોઈએ.
વિવિધ રાજ્યોમાં બિન-ભાજપ સરકારોને વિકાસના કામો કરવામાં કેન્દ્ર સરકાર તરફથી અસહકાર જેવા અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિક કહે છે કે જો શિવસેના સરકાર પવાર સાહેબના નામની હિમાયત કરી રહી છે, તો અમે તેમના આભારી છીએ.
આ પણ વાંચો: ખેડૂતોએ પંજાબ - હરિયાણા ટોલ પ્લાઝા ખોલવાની કરી જાહેરાત, 30 ડિસેમ્બરે ટ્રેક્ટર રેલી












Click it and Unblock the Notifications
