પૂછપરછ માટે તીસ્તાની ધરપકડ શા માટે જરૂરી છે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટની નવી પીઠે ગુરુવારે વર્ષ 2002 રમખાણ પ્રભાવિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં એક સંગ્રહાલયના નામ પર ફંડની ઉચાપતના મામલામાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિના આગોતરા જામીન મંજૂર કરી લીધા. કોર્ટે આ મહત્વના ચૂકાદા બાદ તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદની ધરપકડ હવે નહીં થાય. કોર્ટે તીસ્તાને મોટી રાહત આપી છે તો તેમની પાસે એ લોકોની સૂચિ માગી છે જેમણે આ સંગ્રહાલય માટે દાન આપ્યું હતું. સાથે જ કોર્ટે તીસ્તા પાસે તપાસ એજન્સીઓની સાથે સહયોગ કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ
આ પહેલા કોર્ટે ગુજરાત ક્રાઇમ બ્રાંચને પ્રશ્ન કરતા જણાવ્યું કે આખરે તીસ્તા સાથે પૂછપરછ કરવા માટે તેની ધરપકડ શા માટે જરૂરી છે? કોર્ટે પૂછ્યું કે સવાલ-જવાબ કરવા માટે તીસ્તાની ધરપકડ આખરે શા માટે જરૂરી છે? ડિવિઝન બેંચના જસ્ટિસ દીપક મિશ્રા અને આદર્શ કુમાર ગોયલે ક્રાઇમ બ્રાંચની સામે સવાલ રાખ્યો કે આખરે તીસ્તાને કસ્ટડીમાં શા માટે લેવી જરૂરી છે?
નવી ખંડપીઠે આપ્યો ચૂકાદો
તીસ્તા મામલામાં પીઠમાં ફેરફાર માટે કોઇ કારણ નથી બતાવવામાં આવ્યું. આ મામલો ન્યાયાધીશ એસજે મુખોપાધ્યાય અને ન્યાયમૂર્તિ એનવી રમણની પીઠથી ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની પીઠને સ્થાનાંતરિત કરવામાં આવ્યા. પહેલી પીઠે દંપતિની ધરપકડ પર 13 ફેબ્રુઆરીના રોજ છ દિવસ માટે સ્ટે ઓર્ડર આપી દીધો હતો. કોર્ટે સેતલવાડ દંપતિને આત્મસમર્પણ કરવા અને નિયમિત જામીન લેવાનું સૂચન આપ્યું. પરંતુ બાદમાં તેને 19 ફેબ્રુઆરી સુધી રાહત મળી ગઇ હતી. કોર્ટે આ મામલામાં રાજનીતિ વચ્ચે નહીં લાવવાની પણ ચેતાવણી આપી હતી.
શું હતો આખો મામલો
સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ, જાકિયા ઝાફરીના પુત્ર તનવીર ઝાફરી તથા બે અન્ય પર ગોધરાકાંડ બાદ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે એકઠા કરવામાં આવેલા 1.51 કરોડ રૂપિયાની રકમ ચાઉં કરી જવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ભારતીય આઇપીસી કલમ 120 (બી), 406 અને 420 હેઠળ અને આઇટી કલમ 72(એ) હેઠળ તીસ્તા, આનંદ, તનવીર તથા અન્ય બે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં ફેરવવા માટે દાનના રૂપમાં એકઠા કરેલા 1.51 કરોડ રૂપિયાની રાશિ ચાઉં કરી જવાના આરોપ બદલ દાખલ કરવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
