શિયાળુ સત્રમાં રાજદ્રોહના કાયદામાં બદલાવ કરી શકે છે કેન્દ્ર સરકાર, સુપ્રીમે આપ્યો વધારાનો સમય
કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહ કાયદામાં ફેરફાર કરી શકે છે. આ સાથે સંસદના આગામી શિયાળુ સત્રમાં ફેરફારો સંબંધિત બિલ પસાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. સુપ્રીમ
કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહ કાયદામાં ફેરફાર કરી શકે છે. આ સાથે સંસદના આગામી શિયાળુ સત્રમાં ફેરફારો સંબંધિત બિલ પસાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર નવા નિયમો નહીં લાવે ત્યાં સુધી વિવાદાસ્પદ રાજદ્રોહ કાયદો અને તેના પરિણામે એફઆઈઆરની નોંધણી પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ ચાલુ રહેશે.

અરજીની સુનવણી કરતા આપ્યો વધારાનો સમય
રાજદ્રોહ કાયદાને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સોમવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં લેવા વધારાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ શિયાળુ સત્રમાં સરકારના પગલાની રાહ જોશે. જેના કારણે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાખવામાં આવી છે. સાથે જ જે અરજીઓમાં નોટિસ આપવામાં આવી ન હતી, જેમાં હવે નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ કેન્દ્રને તેનો જવાબ આપવા માટે 6 અઠવાડિયાનો સમય મળ્યો હતો.

પહેલા કોર્ટે આપ્યો હતો આ આદેશ
અગાઉ આ મામલે મે મહિનામાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ નિર્ણયની સમીક્ષા નહીં કરે ત્યાં સુધી આ કાયદા પર રોક લગાવવામાં આવશે. આ સિવાય જેલમાં રહેલા લોકો જામીન માટે કોર્ટમાં જઈ શકે છે. તે સમયે ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયાધીશ સૂર્યકાંત, હેમા કોહલીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને રાજ્યોને કલમ 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં ન આવે તેવું કહ્યું હતું.

કેસનો જલ્દી કરાય નિકાલ
આ દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે જો આ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે, તો આરોપી કોર્ટનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે. આ સિવાય કોર્ટે કેસનો ઝડપથી નિકાલ કરવાનો રહેશે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે જેઓ પહેલાથી જ આઈપીસીની કલમ 124A હેઠળ કેસ નોંધાયેલા છે અને જેલમાં છે, તેઓ જામીન માટે સંબંધિત અદાલતોનો સંપર્ક કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
