દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું, યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી
દેશના ઘણા રાજ્યોમાં નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પૂર આવ્યું છે અને આ રાજ્યોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે.
દેશના ઘણા રાજ્યોમાં નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પૂર આવ્યું છે અને આ રાજ્યોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે. તે જ સમયે, પાટનગર દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું છે. હથનીકુંડ બેરાજમાંથી પાણી છોડાયા બાદ સોમવારે સવારે યમુના નદી જોખમી નિશાનીથી ઉપર પહોંચી ગઈ. યમુનાના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નદીના પાણી ભરાતા વિસ્તારને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.

યમુના નદીનું પાણી ઝડપથી વધતું જોઈને દિલ્હી સરકાર હરકતમાં આવી
વધતા પાણીને જોતા બચાવ દળને પણ સક્રિય કરાયા છે. યમુના નદીનું પાણી ઝડપથી વધતું જોઈને દિલ્હી સરકાર હરકતમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે ઇમર્જન્સી મીટીંગ બોલાવી છે. આ મીટીંગમાં પૂરની સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.70 મીટર નોંધાયું હતું
સોમવારે સવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.70 મીટર નોંધાયું હતું જ્યારે સંકટનું ચિહ્ન 204.50 મીટર છે. હથનીકુંડ બેરાજમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, એમ કહેવામાં આવી રહ્યું છે કે જળ સપાટી પણ વધુ વધી શકે છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ શકે છે.

યમુના ભયના નિશાનથી ઉપર વહી રહી છે
એવા સમાચાર છે કે હાથનીકુંડ બેરાજમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને, તમામ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સને સોમવારે દિલ્હી પોલીસ અને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની સહાયથી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ રવિવારે પણ પૂર જેવી પરિસ્થિતિ સાથે સંકળાયેલા માર્ગો પર ચર્ચા કરવા માટે મીટીંગ થઇ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ યમુનાની જળ સપાટી 205.5 મીટર સુધી પહોંચી હતી.
આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
