માનવ સંસાધન વિભાગ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક બાદ PMO પર ટ્વીટ કરીને આપી માહિતી
નોકરી વાંચ્છુક યુવાનો માટે આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી ભરતીની કરવા આવશે. PMO એ આ અંગે ટ્વીટ કરીને દેશની જનતાને મહિતી આપી હતી. પ્રધાનમંત્રના ઓફિસય ટ્વીટર પર આપવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીએ માનવ સંસાધન (હ્યુમન રિસો
નોકરી વાંચ્છુક યુવાનો માટે આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી ભરતીની કરવા આવશે. PMO એ આ અંગે ટ્વીટ કરીને દેશની જનતાને મહિતી આપી હતી. પ્રધાનમંત્રના ઓફિસય ટ્વીટર પર આપવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીએ માનવ સંસાધન (હ્યુમન રિસોર્સ) ના તમામ વિભાગ સાથે રિવ્યૂ મીટિંગ કરી હતી. અને આવનારા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોની ભરતી કરવા માટે આદેશ આપ્યો હતો.

ગત વર્ષે લાખો પદો ખાલી હતા
ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

કેટલી જગ્યાઓ હજી ખાલી?
રાજ્યસભામાં સરકાર દ્વારા ગત વર્ષે સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદોની માહિતી આપવામાં આવી હતી. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

8 વર્ષ પુરા થતા મોદી સરકારની મોટી જાહેરાત
2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પુરા થયા જેમા સરકાર પોતાના 8 વર્ષા યોજનાઓ અને પાતાની કામગીરી ગણાવી રહી છે પરંતુ વિરોધ પક્ષો દ્વારા રોજગારી શિક્ષણને લઇને હમેશા મોદી સરકારને ઘરેવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને નોટબંધી અને જીએસટીના અમલ બાદ રોજગારીને લઇને વિરોધ પક્ષો દ્વારા ખાસ સવાલ કરવામાં આવતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
