રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ
રાફેલ સોદાની તપાસની માંગ માટે કરાયેલ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આને સરકાર માટે ઝટકો કહેવો યોગ્ય નથી.
રાફેલ સોદાની તપાસની માંગ માટે કરાયેલ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આને સરકાર માટે ઝટકો કહેવો યોગ્ય નથી. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ધારણા બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરકાર માટે ઝટકો છે.

અદાલતે ચુકાદો નથી સંભળાવ્યો
પ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી વિશે જે ધારણા બનાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. અદાલતે કેસના મેરિટ પર ચુકાદો નથી આપ્યો. રવિશંકર પ્રસાદે કહ્યુ કે એવુ લાગી રહ્યુ છે કે જાણીજોઈને એ માહોલ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કોર્ટના ચુકાદાથી સરકારી પક્ષને ઝટકો લાગ્યો છે. બિહારની પટના સાહિબ સીટથી ભાજપા ઉમેદવાર પ્રસાદે કહ્યુ કે રાફેલને તેમની સરકાર એટલા માટે લાવી કારણકે દેશની વાયુસેનાને જરૂર છે. હાલમાં દેશની સુરક્ષા મજબૂત કરવાની જરૂર છે જેના માટે સરકાર પ્રયાસરત છે.

બુધવારે આવ્યો છે અદાલતનો ચુકાદો
રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ કે કોલ અને કે એમ જોસેફની ખંડપીઠે બુધવારે કેન્દ્ર સરકારના વાંધાઓને ફગાવી દીધા છે. કોર્ટે પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરીને રાફેલ ડીલ સાથે સંબંધિત ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજીની આગળની સુનાવણી કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌર, યશવંત સિન્હા અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ સોદા પર પુનર્વિચાર અરજી કરી છે.

વિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ
કોર્ટના આ આદેશ બાદ વિપક્ષે પીએમ નરેન્દ્ર મોદી અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે નરેન્દ્ર મોદીના જૂઠનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો છે. રાફેલના ભ્રષ્ટાચારનું એક જૂઠ છુપાવવા માટે ચોર ચોકીદારે સો જૂઠ બોલ્યા પરંતુ છેવટે સચ્ચાઈ બહાર આવી ગઈ. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યુ છે કે સરકારે ગરબડ કરી છે, જે સામે આવવાની જ છે. અરજીકર્તા અને વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરી અને યશવંત સિન્હાએ કહ્યુ કે તે સતત આ ડીલમાં ગોટાળાની વાત કહી રહ્યા છે અને હવે તે સામે પણ આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
