સુનંદા પુષ્કરના મોત મામલે શશિ થરુરને મળ્યા જામીન
સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને જામીન આપ્યા છે. કોર્ટની નોટિસ બાદ શનિવારે શશિ થરુર અદાલતમાં હાજર થયા હતા.
સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને જામીન આપ્યા છે. કોર્ટની નોટિસ બાદ શનિવારે શશિ થરુર અદાલતમાં હાજર થયા હતા. દરમિયાન કોર્ટે કહ્યુ કે સેશન્સ કોર્ટે પહેલા જ આગોતરા જામીન આપી દીધા છે. ફરીથી જામીનની અરજી આપવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલિસની ચાર્જશીટમાં થરૂરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે ક્રુરતા વર્તવા બદલ આરોપી બનાવ્યા છે.

વળી, સુનંદા પુષ્કરના મોત મામલે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલ યાચિકા પર પણ વાંધો દર્શાવવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે આ મામલે તેમની શું ભૂમિકા છે. કોર્ટે આ અંગેની યાચિકાની સ્ક્રૂટિની માટે 26 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરની આગોતરા જામીન યાચિકા પર સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે તે પુરાવા સાથે કોઈ છેડછાડ કરી શકશે નહિ અને પરવાનગી સિવાય દેશની બહાર નહિ જઈ શકે.
વળી, ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી થરુર પર હુમલો કરતાં કહ્યુ કે આમાં ખુશ થવા જેવી કોઈ વાત નથી. સ્વામીએ કહ્યુ કે તે અત્યારે તિહાર જેલમાં નથી અને અત્યારે તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેસી શકે છે કારણકે તે લોકો પણ 'જામીનવાળા છે. સ્વામીએ થરુર પર હુમલો કરતા કહ્યુ કે તે હવે વિદેશ જઈને અલગ અલગ દેશોની પોતાની ગર્લફ્રેન્ડ્સને નહિ જોઈ શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
