પંજાબના આગામી મુખ્યમંત્રી તરીકે સુખજિંદર રંધાવાનું નામ પ્રસ્તાવિત
કોંગ્રેસે આગામી મુખ્યમંત્રી તરીકે પંજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાનું નામ સૂચવ્યું છે. જો કે, હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોંગ્રેસે આગામી મુખ્યમંત્રી તરીકે પંજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાનું નામ સૂચવ્યું છે. જો કે, હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે, બેઠકમાં હાજર અંબિકા સોની સાથે નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસી પર ચર્ચા ચાલી રહી છે.

પંજાબના ધારાસભ્યોની બેઠક રવિવારના રોજ અમરિંદર સિંહે રાજીનામું આપ્યાના એક દિવસ બાદ રાજ્ય પાર્ટી એકમમાં મહિનાઓની હંગામા બાદ આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પ્રીતમ કોટભાઈએ ANIને જણાવ્યું કે, તમામ ધારાસભ્યોએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ આપ્યું છે અને તેઓ મુખ્યમંત્રી બનશે.
સુખજિંદર રંધાવા પંજાબ રાજ્યના કેબિનેટ મંત્રી છે, જેમની પાસે જેલ અને સહકારીનો હવાલો છે. રવિવારના રોજ બેઠકો વચ્ચે મીડિયા વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સુખજિંદર રંધાવાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ પણ પોસ્ટ પછી ક્યારેય હેન્કરિંગ કર્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર નિશાન સાધતા સુખજિંદરે કહ્યું, એક મુખ્યમંત્રી (તેમના હોદ્દા પર) તે સમય સુધી જ રહે છે, જ્યારે તેમની પાર્ટી રાજ્યના લોકો તેમની સાથે ઉભા રહે."
62 વર્ષીય કોંગ્રેસ નેતા ત્રણ વખત ધારાસભ્ય છે અને હાલમાં ડેરા બાબા નાનક વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પિતા સંતોખ સિંહે બે વખત પંજાબ કોંગ્રેસના વડા તરીકે સેવા આપી હતી. સુખજિંદર સિંહ રંધાવા પણ આ પદ પર રહ્યા છે.
શનિવારના રોજ કોંગ્રેસ વિધાનમંડળની બેઠક મળી અને સોનિયા ગાંધીને આગામી મુખ્યમંત્રી પસંદ કરવા વિનંતી કરી હતી. શનિવારના રોજ મોડી રાતના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ નેતા અંબિકા સોનીને ઓફર મળી હતી, જેને અંબિકા સોનીએ એમ કહીને ફગાવી દીધી હતી કે, પક્ષને પંજાબના મુખ્યમંત્રી તરીકે શીખ ચહેરાની જરૂર છે.
અંબિકા સોનીએ મુખ્યમંત્રી બનવાનો કર્યો ઇન્કાર
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ અંબિકા સોનીએ પંજાબના મુખ્યમંત્રી બનવા માટે પાર્ટી હાઇકમાન્ડની ઓફરનો અસ્વીકાર કર્યો છે. સોનીએ કથિત રીતે કહ્યું કે, તે આવા સમયે મુખ્યમંત્રી બનવા માંગતી નથી અને પંજાબમાં માત્ર એક શીખને જ મુખ્યમંત્રી બનાવવો જોઈએ.
ચંદીગઢમાં સુનીલ જાખરને મળ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ સિંહ વૈદના જણાવ્યા મુજબ અમે સોનિયા ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ટૂંક સમયમાં CPLની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પાછળ એક પૃષ્ઠભૂમિ અને મુદ્દાઓ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
