પીએમની રેલી પાસે વિદ્યાર્થીઓએ વેચ્યા 'મોદી પકોડા', પોલીસે કરી અટકાયત, જુઓ Video
પીએમની રેલી પાસે 'એન્જીનિયરિંગ અને લૉ-ગ્રેજ્યુએટ' વેચી રહ્યા હતા 'મોદી પકોડા', પોલીસે કરી અટકાયત
ચંદીગઢઃ પીએમ મોદીની રેલી નજીક વિદ્યાર્થીઓએ મંગળવારે અનોખી રીતે પ્રદર્શન કર્યું. આ વિદ્યાર્થીઓ કાળા રંગના પોતાના લૉ કોલેજના યૂનિફોર્મમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને 'મોદી પકોડા' વેચી રહ્યાહતા. જે બાદ 12 વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે રેલી ખતમ થયા બાદ આ બધા જ વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. પાછલા વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લોકો પકોડા વેચીને એક દિવસમાં 200 રૂપિયા કમાઈ રહ્યા છે તેને રોજગારી માની શકાય છે, રેલી સ્થળની બાજુમાં પ્રદર્શનકારિઓએ કહ્યું કે, "અમે પકોડા યોજના અંતર્ગત નવું રોજગાર આપવા માટે પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. અમે પીએમ મોદીની રેલીમાં પકોડા વેચવા માંગીએ છીએ જેનાથી જાણી શકીએ કે ભણેલા-ગણેલા યુવાનો માટે પકોડા વેચવા કેટલું મહાન છે."

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી પકોડા વેચી રહ્યા છે. વિદ્યાર્થીઓદ્વાા એન્જીનિયર્સના પકોડા અને બીએ-એલએલબી પકોડા વેચવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પકોડાવાળા નિવેદનની વિપક્ષે ભારે નિંદા કરી હતી અને તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ બહુ દુખદાયક વાત છે કે પીએમ મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજનાઓની વાત કરે છે અને દેશના યુવાઓને પકોડા વેચવાની સલાહ આપે છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો દરેક નાગરિક પકોડા વેચવા લાગે તો તેને ખાશે કોણ. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, 'ભીખ માંગવી પણ એક પ્રકારની બેરોજગારી છે.' 2019ના શરૂઆતમાં એક રિપોર્ટ સામે આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા છે જે 1970 બાદ ચરમ સીમા પર છે. ગત મહિના આવેલ એક નવો રિપોર્ટ સામે આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે પીએમના નોટબંધીના ફેસલા બાદ અત્યાર સુધી 50 લાખ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. જણાવી દઈએ કે ચંદીગઢમાં 19 મેના રોજ મતદાન છે અને કોંગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલ વિરુદ્ધ ભાજપ તરફથી કિરણ ખેર લડી રહ્યા છે. 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થનાર છે.
આ પણ વાંચો- લેફ્ટની હિંસામાંથી બહાર નીકળીને આવ્યાં હતાં મમદા, બંગાળમાં રાજ બદલ્યું ખૂની ખેલ નહિ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
