યુપીમાં બીજેપી-સપાની મજબુત ટક્કર, આવા છે એબીપી સી-વોટર સર્વેના લેટેસ્ટ આંકડા!

યુપી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આ સ્થિતિમાં ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપા પોતાની રણનીતિમાં સક્રિય છે.

યુપી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આ સ્થિતિમાં ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપા પોતાની રણનીતિમાં સક્રિય છે. બીજી તરફ એબીપી સી-વોટરના તાજેતરના સર્વેમાં સામે આવ્યુ છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સરકાર ફરીથી વાપસી કરી શકે છે. આ સર્વે અનુસાર સમાજવાદી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે.

uttar pradesh assembly election 2022

16 ડિસેમ્બરના આંકડા મુજબ સર્વેમાં 47 ટકા લોકોનું માનવું છે કે આવનારી ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે. બીજી તરફ 31 ટકા લોકો સપા સરકારની વાત કરી રહ્યા છે. આ સિવાય બસપા અને કોંગ્રેસ ઘણા પાછળ હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યાં 8 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં બસપા સરકાર બનાવશે, તો માત્ર 6 ટકા લોકો કોંગ્રેસની વાપસી કહી રહ્યા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની પાર્ટી સપા સત્તારૂઢ ભાજપને ટક્કર આપી રહી છે. 12 ડિસેમ્બરના એબીપી સી-વોટરના સર્વેમાં જાણવા મળ્યું છે કે ભાજપને 212-224 બેઠકો મળી શકે છે. આ સિવાય સપાને 151-163 બેઠકો, બસપાને 12-24 બેઠકો અને કોંગ્રેસને 2-10 બેઠકો મળવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે જેમ જેમ યુપી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતાની રણનીતિને આગળ વધારી રહ્યા છે. 16 ડિસેમ્બરે અખિલેશ યાદવ તેમના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવને મળ્યા હતા. યુપીની રાજનીતિને જોતા આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શિવપાલ યાદવ ઘણા દિવસોથી કહી રહ્યા હતા કે તેમને અખિલેશ યાદવને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ હજુ સુધી તેમને સમય મળ્યો નથી. આ દરમિયાન ગુરુવારે અખિલેશ યાદવ શિવપાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. બંને લગભગ 45 મિનિટ સુધી મળ્યા હતા. આ બેઠક બાદ સપા અને PSP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ બેઠક પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, શું અખિલેશ યાદવે 2018માં શિવપાલ યાદવને (અખિલેશ યાદવ) કંસ કહેવા બદલ માફી મંગાવી અથવા અખિલેશ યાદવે સ્વીકાર્યું કે તેમના કાકાએ જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે સાચું હતું.

પુનાવાલાએ કહ્યું કે હું પૂછવા માંગુ છું કે તેમણે જનતા માટે શું કર્યું? પૂનાવાલાએ અખિલેશ યાદવ પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે શું સપા નેતા આઈપી સિંહ ક્યારેય આ પાર્ટીના અધ્યક્ષ બની શકે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X