ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એક જવાનનું મોત
ગાજીપુરઃ પીએમ મોદીની રેલી બાદ પોલીસ પર પથ્થરમારો, એકનું મોત
વારાણસીઃ પીએમ નરેન્દ્ર મોદીની રેલી બાદ ગાજીપુરમાં બબાલ થઈ. પહેલા અહેવાલ મળ્યા હતા કે રેલીથી પરત ફરી રહેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુભાસપાના કાર્યકર્તાઓને બબાલ થઈ. જેમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી. સૂચના મુજબ આ બબાલને પોલીસે સાંત કરી લીધી પરંતુ બાદમાં નોનહરા પોલીસ સ્ટેશનના કઠવા મોડ પોલીસ ચોકી પાસે પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો હતો જેમાં કોન્સ્ટેબલ સુરેશ વત્સ શહીદ થયો.

મોદીએ રેલી યોજી
જાણકારી મુજબ પીએમ મોદીની વીઆઈપી ડ્યૂટીથી પરત ફરી રહેલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો. નિષાદ સમાજના લોકો આરક્ષણની માગણીને લઈ ધરણા પર બેઠા હતા ત્યારે ઉગ્ર થયેલી ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કરીમુદ્દીન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું. આ બબાલમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

શાસ્ત્રી ઘાટ પર કર્યું પ્રદર્શન
જે સમયે પીએણ મોદી ગાજીપુર અને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કરોડોની ભેટ જનતાને સોંપી રહ્યા હતા તે સમયે એનડીએ ગઠબંધનમાં સામેલ અને સરકારમાં સહયોગીની ભૂમિકા વાળા ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના કાર્યકર્તા વારાણસીના શાસ્ત્રી ઘાટ પર પીએમ મોદી વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

આ કારણે થઈ બબાલ
આ નજારો વારાણસીના શાસ્ત્રીય ઘાટનો છે જ્યાં ધરણા પર બેઠેલા લોકો પોતાની સરકાર વિરુદ્ધ જ નારેબાજી કરી રહ્યા છે. શનિવારે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં આવવાના હોય ધરણા માટે પણ આ દિવસ જ પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના લોકોની માંગ છે કે પછાતના 27 ટકા આરક્ષણનું વિભાજન કરવામાં આવે અને તેમાં અન્ય જાતિના લોકને પણ જોડવામાં આવે.

ઓમપ્રકાશ રાજભરે સરકાર વિરુદ્ધ પહેલ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે સુભાસપાના વિરોધ અને ધરણા પ્રદર્શન 24 ડિસેમ્બર યૂપીના 75 જિલ્લામાં પોતાની સરકારની નીતિઓ વિરુદ્ધ શરૂ થયું છે. જેની આગેવાની ખુદ સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યૂપીમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે કરી છે. આ જ શ્રેણીમાં શનિવારે વારાણસીમાં પણ પીએણના આગમનને પગલે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
