રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ગણાવ્યુ સરકારનું ષડયંત્ર, ‘તપાસમાં મોટા મોટા લોકો ફસાશે'
સમાજવાદી પાર્ટીના મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવે પુલવામા હુમલા વિશે એક ખૂબ જ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.
સમાજવાદી પાર્ટીના મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવે પુલવામા હુમલા વિશે એક ખૂબ જ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. રામગોપાલ યાદવે પુલવામા હુમલાને મતો માટે કરવામાં આવેલુ ષડયંત્ર ગણાવ્યુ છે. રામગોપાલે કહ્યુ કે મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ પ્રકરણની પૂરી તપાસ થશે. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

સરકાર બદલાશે તો થશે તપાસ, ફસાશે મોટા મોટા લોકો
ગુરુવારે પોતાના પૈતૃક ગામ સેફઈમાં હોળી મિલન સમારંભમાં બોલતા રામગોપાલ યાદવે કહ્યુ કે અર્ધસૈનિક બળ સરકારથી દુઃખી છે. મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જમ્મુ કાશ્મીર વચ્ચે ચેકિંગ નહોતુ, જવાનોને સિંપલ બસમાં મોકલી દેવામાં આવ્યા, આ બધુ ષડયંત્ર હતુ. અત્યારે નથી કહેવા ઈચ્છતો, જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ થશે ત્યારે મોટા મોટા લોકો ફસાશે.

ક્યારે કોણ ચાવાળો બની ગયો અને એ જ ચાવાળો ચોકીદાર બની ગયો
વળી, સપા બસપા ગઠબંધન પર બોલતા અખિલેશ યાદવે કહ્યુ કે અમારુ ગઠબંધન બસપા સાથે થઈ ચૂક્યુ છે અને દેશમાં ગઠબંધનની સ્થિતિ મજબૂત છે. સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવીને ગઠબંધન સરકાર બનાવશે. વળી, પીએમ મોદી પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યુ કે ક્યારે કોણ ચાવાળો બની ગયો અને એ જ ચાવાળો ચોકીદાર બની ગયો. ભાજપ સર્ટિફિકેટ આપનારી પાર્ટી બની ગઈ છે. હિંદુ હોવાનું સર્ટિફિકેટ ભાજપ અને રાષ્ટ્રવાદી હોવાનું સર્ટિફિકેટ ભાજપ આપે છે. દેશની દૂર્દશા થઈ ગઈ છે. આર્થિક રીતે બેંક દેવાદાર થવાની સ્થિતિમાં છે. અમુક પુંજીપતિઓને લાભ પહોંચાડવાનું કામ ભાજપ કરી રહી છે.

મુલાયમ પરિવારે સેફઈમાં રમી હોળી
અખિલેશે ન્યૂઝ ચેનલો પર હુમલો કરતા કહ્યુ કે જો તમારે ભટકવાથી બચવુ હોય તો તમે લોકો ટીવી જોવાનું બંધ કરી દો. તે લોકો જૂઠથી ભટકાવી રહ્યા છે. આ વખતે હોળી રમવા મુલાયમ સિંહ યાદવ સેફઈ પહોંચ્યા. અહીં અખિલેશ, મુલાયમ અને રામગોપાલ યાદવ તો એક મંચ પર દેખાયા પરંતુ કાકા શિવપાલ સિંહ યાદવે પોતાનો અલગ મંચ સજાવ્યો. જો કે શિવપાલે કહ્યુ કે તે મુલાયમની કોઠી પર તેમના આશીર્વાદ લેવા ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
