સૌરવ ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બુધવારે(6 જાન્યુઆરી)એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
Sourav Ganguly Health Updates: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બુધવારે(6 જાન્યુઆરી)એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ અંગેની માહિતી તેમની મેડિકલ ટીમે આપી છે. કોલકત્તા વુડલેન્ડ હોસ્પિટલના એમડી અને સીઈઓ ડૉ. રૂપાલી બસુએ કહ્યુ કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ઘરે તેમની રોજ મેડિકલ કેર કરવામાં આવશે. તેમના ઘરે ડૉક્ટર દ્વારા રોજ ચેક અપ કરવામાં આવશે. વળી, મેડિકલ ટીમના એક સભ્યએ માહિતી આપી કે આજે કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી સૌરવ ગાંગુલીને ચેક કરશે તે બાદ તેમને કાલે હોસ્પિટલથી ઘરે જવા દેવામાં આવશે.

વુડલેન્ડ હોસ્પિટલના સીઈઓ અને એમડીએ કહ્યુ કે સૌરવ ગાંગુલી આવતા 2-3 સપ્તાહ બાદ બીજી મેડિકલ પ્રોસિજર માટે તૈયાર હશે. સૌરવ ગાંગુલીની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સૌરવને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ડૉક્ટરોએ કહ્યુ છે કે હાલમાં તેમની સ્થિતિ ઠીક છે, તે સ્થિર છે. તેમની એંજિયોપ્લાસ્ટી સફળ રહી છે. સૌરવ ગાંગુલીના હ્રદયમાં બે બ્લોકેજ છે જેના માટે તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ છે. તેમની ધમનીમાં 90 ટકા બ્લોકેજ છે.
વધુમાં તેમણે કહ્યુ કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે સંપૂર્ણપણે બેડ રેસ્ટમાં રહેવુ પડશે. ડૉક્ટરોએ એ પણ કહ્યુ કે અમે તેમની આગળની સ્થિતિને જોઈને નિર્ણય લઈશુ. છાતીમાં દુઃખાવા બાદ 2 જાન્યુઆરીએ હોસ્પિટલમાં ભરતી થયેલા સૌરવ ગાંગુલીને પોતાના ઘરમાં બનેલ જિમમાં કસરત કર્યા બાદ ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવુ ફીલ થઈ રહ્યુ હતુ અને અચાનક તેમની છાતીમાં દુઃખાવો થયો. ત્યારબાદ સૌથી પહેલા ગાંગુલીએ ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા જેમણે તેમને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
