સોનિયા અને રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું
કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આનંદ શર્મા સહિતના ઘણા નેતાઓએ સંસદમાં ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
કર્ણાટક અને ગોવાના સંકટ પર ગતિરોધ ચાલુ જ છે. દરમિયાન, કૉંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આનંદ શર્મા સહિતના ઘણા નેતાઓએ સંસદમાં ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, "અમે કર્ણાટક અને ગોવાના મુદ્દાનો વિરોધ કરી રહ્યા છીએ." કૉંગ્રેસના સાંસદોએ 'લોકશાહીને બચાવો' નો નારો લગાવ્યો અને ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ મૂક્યો. જે સાંસદો પ્રદર્શન કરી રહ્યા હતા તેમના હાથમાં 'લોકતંત્ર બચાઓ' બેનર પકડી રાખ્યું હતું.

કૉંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે કર્ણાટક અને ગોવામાં બીજેપી જોડતોડમાં લાગેલી છે અને લોકશાહી તેનાથી જોખમમાં છે. આપને જણાવી દઈએ કે કર્ણાટક અને ગોવા મુદ્દે રાજ્યસભામાં પણ હંગામો થયો હંગામો એટલો બધો વધી ગયો કે વિપક્ષે સદનથી વોકઆઉટ કરી દીધું. જયારે બીજી બાજુ સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે કર્ણાટક અને ગોવામાં જે થઈ રહ્યું છે તેના માટે તેઓ જવાબદાર નથી.
આ પણ વાંચો: અમને આશા છે કે વિધાયકો પાછા આવશે અને રાજીનામુ પાછું લેશે: ડીકે શિવકુમાર
તેમણે કહ્યું કે કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાં કોઈ ભવિષ્ય નથી જોઈ રહ્યા છે, તેથી પાર્ટી છોડી રહી છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યો પછી ગોવામાં કોંગ્રેસના 15 માંથી 10 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું. ત્યારપછી તેમના સતત ભાજપમાં જોડાવવાની ખબર આવી રહી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કહ્યુ,'બજેટમાં અવગણ્યા'












Click it and Unblock the Notifications
