ઉરી હુમલો,શહીદે કહ્યું "માં જેટલી વાત કરી શકો, કરી લો"
ઉત્તર પ્રદેશના બલિયામાં રહેતા લાંસ નાયક આર કે યાદવ રવિવારે થયેલા ઉરી આતંકવાદી હુમલામાં શહીદ થઇ ગયા. આ ખબર હજુ સુધી તેમની પત્નીને આપવામાં આવી નથી. વાસ્તવમાં, આર કે યાદવની પત્ની ગર્ભવતી છે અને આ જ મહિને તેમની ડિલીવરી થવાની છે. આ પહેલા તેમની બે દિકરીઓ છે અને મોટી દિકરી 8 વર્ષની છે.

ત્રણ દિવસ પહેલા જ 33 વર્ષના લાંસનાયક આર કે યાદવે ઉત્તરપ્રદેશના બલિયામાં પોતાની મા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ફોન પર પોતાની માને કહ્યું હતું કે, જેટલી વાત કરી શકો છો કરી લો મા. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ મારે હાયર રેંજમાં જવાનું થઇ શકે છે અને ત્યાં ફોનની સુવિધા ઉપલબ્ધ નહિ હોય.
આર કે યાદવને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દસ ડોગરામાં એક આર્મી બેઝની કમાન સંભાળી હતી. થોડા કલાકો બાદ જેવા બિહાર રેજિમેંટના સૈનિકો સૂવા માટે પોતાના ટેંટમાં ગયા, એ જ વખતે ચાર આતંકવાદીઓએ તેમના પર એકે-47 અને ગ્રેનેડથી હુમલો કરી દીધો. રવિવારે સવારે થયેલા આ હુમલામાં સેનાના 18 જવાન શહીદ થઇ ગયા, જ્યારે આશરે 30 જવાન ઘાયલ થઇ ગયા.
ઉરીમાં શહીદ રવિ પાલના દિકરાએ કહ્યું - મારા પિતાએ તિરંગા માટે પોતાનો જીવ આપ્યો, હું લઇશ તેમની મોતનો બદલો. સંત કબીર નગરમાં સુરેશચંદ્ર યાદવ કહે છે કે તેમણે તેમના નાના ભાઇ ગણેશ શંકર સાથે લગભગ એક સપ્તાહ પહેલા જ વાત કરી હતી. એ વખતે બંનેએ બહેનના લગ્નના અનુસંધાનમાં વાત કરી હતી. ગણેશ શંકરે વચન આપ્યું હતું કે તે ઓક્ટોબરમાં ઘરે આવશે. 34 વર્ષના શંકર એક મોટા પરિવારનો સહારો હતા. તેમને ત્રણ બાળકો છે, જેમાં સૌથી મોટા બાળકની ઉંમર 10 વર્ષ છે.

રાજેશ કુમાર સિંહના પિતા રાજેન્દ્ર પ્રસાદ સિંહ કહે છે કે તેઓ એ વાત પર ગુસ્સે છે કે તેમના દિકરાની મોત એક આતંકવાદી હુમલામાં થઇ છે. જૌનપુર ગામમાં રહેતા રાજેન્દ્ર કહે છે કે જો મારો દિકરો યુદ્ધમાં શહીદ થયો હોત તો મને વધુ ગર્વ થાત.
28 વર્ષના હરેન્દ્ર યાદવને પણ બે દિકરા છે, જેમાં એકની ઉંમર 4 વર્ષ અને બીજાની 2 વર્ષ છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં તેમના પડોશીએ જણાવ્યું કે તેમણે આ વર્ષે જ માર્ચ મહિનામાં કેવી રીતે એક ઝૂંપડીમાં લાગેલી આગથી બે લોકોને બચાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
