રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી
રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી
નવી દિલ્હીઃ શિયાળુ સત્રના ત્રીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવા પર નારાજગી વ્યક્ત કરી. આ મામલાને લઈ તેમણે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે કહ્યું કે ચોંકાવનારી વાત એ છે કે એનડીએથી બહાર થવાને લઈ હજુ કોઈ ઔપચારિક એલાન થયું નથી છતાં તેમની જગ્યા ત્રીજીથી પાંચમી લાઈનમાં કરી દેવામાં આવી છે.

સંજય રાઉતે કહ્યું કે તેમને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા માટે થયું. રાઉતે કહ્યું કે આ સદનની મર્યાદાની વિરુદ્ધ છે. સંજય રાઉતે કહ્યું કે એવું લાગે છે કે શિવસેનાની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા માટે આવું જાણીજોઈને કરાઈ રહ્યું છે. શિવસેના સાંસદે ચેમ્બરમાં બેસવાની પોતાની જૂની જગ્યાની માંગણી કરતા વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ બંને દળો વચ્ચે વિવાદ વધી ગયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદને લઈ શિવસેનાએ ભાજપ સમક્ષ 50-50નો ફોર્મ્યૂલા રાખ્યો હતો, જેને ભાજપે માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ શિવસેનાના અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે જેનો મુદ્દો બુધવારે સંસદમાં પણ ઉઠ્યો હતો.
Shiv Sena's Sanjay Raut to M Venkaiah Naidu: I also fail to understand reason for this unwarranted step since there is no formal announcement about the removal from NDA. This decision has affected dignity of the House.I request to allot us 1/2/3 row seat&uphold House decorum. 2/2 https://t.co/q5NoX00CoO
— ANI (@ANI) November 20, 2019
રાજ્યસભામાં નિત્યાનંદ રાયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલનો રિપોર્ટ રજૂ કર્યો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણ પર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. ભાજપ-શિવસેના, કોંગ્રેસ-એનસીપીમાંથી કોઈપણ દળ સરકાર નહોતી બનાવી શક્યા. જો કે, રાષ્ટ્રપતિ શાસન વચ્ચે શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
