શીના બોરા કેસ: ડ્રગ ઓવરડોઝની વાત ખોટી, ઇંદ્રાણીની હાલત નાજુક
શીના બોરા કેસની મુખ્ય આરોપી ઇંદ્રાણી મુખર્જી હાલમાં મુંબઈની જે.જે.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાઇ રહ્યું છેકે તેણે નિયત પ્રમાણ કરતા વધુ માત્રામાં દવાઓનો ઓવરડોઝ લઇ લીધો છે. જેના કારણે તેની હાલત નાજુક થઇ ગઈ અને તે હોસ્પિટલ પહોંચી ગઇ છે. પરંતુ હવે ઇંદ્રાણીની દવા ખાવાની વાત પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ઇંદ્રાણીના લોહી અને યુરીનની તપાસ કરવામાં આવી છે. લોહી અને યુરીનના તપાસ રીપોર્ટમાં અલગ તથ્યો સામે આવી રહ્યાં છે. મુંબઈની ખાનગી હિંદુજા હોસ્પિટલના રીપોર્ટમાં ઇંદ્રાણીના શરીરમાં દવાઓના અંશ મળ્યા છે, જ્યારે યુરીન ટેસ્ટના રીપોર્ટમાં સામે આવી રહ્યું છેકે તેણે તણાવ દૂર કરવાની ગોળીઓ ખાધી હતી. પરંતુ તેનાથી અલગ ફોરેન્સિક લેબના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે ઇંદ્રાણીએ દવાઓ નથી ખાધી.
ડ્રગ ઓવરડોઝની વાત ખોટી
જણાવી દઇકે દેશના હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાંથી એક એવા શીના મર્ડર કેસના ત્રણ મુખ્ય આરોપીઓમાંથી ઇંદ્રાણી મુખર્જીને શુક્રવારે બપોરે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવી હતી. જેમા વિવિધ તપાસ રીપોર્ટમાં જુદા જુદા તથ્ય બહાર આવી રહ્યાં છે.

હાલમાં હાલત નાજુક
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ હાલમાં તે અવાજ સાંભળીને રીસ્પોન્સ કરી રહી છે. ઇંદ્રાણીએ પીવા માટે પાણી માંગ્યુ હતુ. હાલમાં તે અર્ધ બેભાન અવસ્થામાં છે. ઇંદ્રાણી મુખર્જીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છેકે તેની હાલત નાજુક છે.

ઇંદ્રાણી ખેંચની દવાઓ લે છે
જેલ પ્રશાસનના કહેવા મુજબ ઇંદ્રાણી ખેંચની દવાઓ લે છે. જો કે લેબના રીપોર્ટ્સ મુજબ આ અંગે રહસ્યો ગુઢ થઇ રહ્યાં છે. આ પહેલા કહેવામાં આવ્યું હતુ કે તણાવના કારણે ઇંદ્રાણીએ આત્મહત્યાની કોશિષ કરી છે.

શું ઇંદ્રાણીએ આત્મહત્યાની કોશિષ નથી કરી?
મહત્વપૂર્ણ છેકે ઇંદ્રાણીની પોતાની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં 25 ઑગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી છે. શીના બોરાની હત્યા એપ્રિલ 2012માં થઇ હતી. આ મામલે ઇંદ્રાણીના પહેલા પતિ સંજીવ ખન્ના અને તેના કાર ડ્રાઇવર શ્યામવરની પણ ધરપકડ કરવામાં આવી છે.

તપાસનો દોર CBIના હાથમાં
સંપૂર્ણ મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી હતી. પરંતુ બાદમાં મહારાષ્ટ્ર સરકારે સમગ્ર મામલો કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપી દીધો છે. હાલમાં તો ઇંદ્રાણીના વકીલને પણ તેને મળવાની પરવાનગી નથી આપવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
