શશિ થરૂરના દાવાએ કોંગ્રેસમાં વિવાદનો મધપૂડો છેડ્યો, કહ્યું-કેટલાક નેતાઓ ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડુ!
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે શશિ થરૂર પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો કે, કોંગ્રેસના ઘણા નેતાઓ ઇચ્છતા હતા કે તેઓ પ્રમુખ પદ માટે ચૂંટણી ન લડે.
દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કોંગ્રેસનો આંતરિક ઝઘડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા અશોક ગેહલોતને લઈને હાઈવોલ્ટેજ ડ્રામાં અને ત્યારબાદ ઉમેદવારોને લઈને સતત વિવાદ બાદ હવે શશિ થરૂરે એક નવો વિવાદનો મધપુડો છેડ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે શશિ થરૂર પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો કે, કોંગ્રેસના ઘણા નેતાઓ ઇચ્છતા હતા કે તેઓ પ્રમુખ પદ માટે ચૂંટણી ન લડે. આ માટે તેમણે રાહુલ ગાંધી પણ ઉમેદવારી પાછી ખેંચાવવા મારી સાથે વાત કરવા કહ્યું હતું. જો કે, રાહુલે આમ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે રાહુલ કોઈ દબાણ લાવવા માંગતા ન હતા.
થરૂરના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડૂ, જેથી પાર્ટીને ફાયદો થાય, જે નેતાને સમર્થન આપવું હોય તેમણે આપવુ જોઈએ. રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. કેરળ પીસીસી ચીફ સુધાકરણે તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે મને લાગે છે કે તેમનું નિવેદન મધુસૂદન મિસ્ત્રીના પરિપત્ર પહેલા આવ્યું છે. હું તેના વિશે ફરિયાદ કરવાનો નથી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મને ખાતરી આપી છે કે કોઈ સત્તાવાર ઉમેદવાર નથી. તેઓ તટસ્થ રહેશે.
થરૂરે વધુમાં કહ્યું કે તેમણે મલ્લિકાર્જુન ખડગેને પડકાર્યા નથી અને ન તો તેમની વચ્ચે વૈચારિક મતભેદ છે. પક્ષને કેવી રીતે આગળ લઈ જવો તે અંગે બંનેના મત અલગ છે. તે માત્ર એટલું જ ઈચ્છે છે કે પાર્ટી 2024માં સારું પ્રદર્શન કરે કારણ કે તે સમયે સ્થિતિ ખૂબ જ ખરાબ હશે.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સોમવારે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે AICC મહાસચિવ/પ્રભારી, સચિવ, સંયુક્ત સચિવ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) પ્રમુખ, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા, પ્રવક્તા વગેરે કોઈને પ્રમોટ કરશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
