આમંત્રણ છતાં પીએમ મોદીના શપથ ગ્રહણમાં ન ગયા શરદ પવાર, આ વાતથી હતા નારાજ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા.
રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે સાંજે આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં સત્તાધારી દળના નેતાઓ ઉપરાંત વિપક્ષી દળોના નેતા પણ હાજર રહ્યા. જો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા. આની પાછળનું કારણ શરદ પવારને પાંચમી લાઈનમાં સીટ મળવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

પાંચમી લાઈનમાં સીટ મળવાથી નારાજ હતા શરદ પવાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરદ પવાર નારાજ હતા કારણકે તેમને ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારંભમાં પાંચમી લાઈનમાં સીટ આપવામાં આવી હતી. બાદમાં શરદ પવારની પાર્ટી તરફથી આ બાબતે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

એનસીપીના કોંગ્રેસમાં વિલયની અટકળોને પવારે ફગાવી
એનસીપીના પ્રવકતાએ જણાવ્યુ કે શરદ પવારના કાર્યાલય કર્મીઓએ જોયુ કે તેમના બેસવા માટે જે સીટ નક્કી કરવામાં આવી છે તે પ્રોટોકોલ મુજબ નથી. એટલા માટે તે આ કાર્યક્રમમાં શામેલ ન થયા. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરદ પવારના નિવાસ સ્થાને મુલાકાત કરી. આ મુલાકાત બાદ એનસીપીના કોંગ્રેસમાં વિલયની ચર્ચા થવા લાગી. જો કે પવારે આ અટકળોને ફગાવી દીધી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે એનસીપીએ મળીને લડી હતી લોકસભા ચૂંટણી
શરદ પવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ટ્વીટ કર્યુ, ‘દિલ્લીમાં મારા નિવાસ સ્થાને, અમે આગામી વિધાનસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ વિશે ચર્ચા કરી.' તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને મહારાષ્ટ્રમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને 48માંથી 41 સીટો પર કબ્જો જમાવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
