‘અમૃતસર બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ ગ્રેનેડમાં પાકિસ્તાની હસ્તાક્ષર': પંજાબ સીએમ
પંજાબના અમૃતસર સ્થિત અદિલવાલ ગામ પાસે નિરંકારી સમાગમમાં જે રીતે બ્લાસ્ટ થયો, ત્યારબાદ આ હુમલા વિશે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટો ખુલાસો કર્યો છે.
પંજાબના અમૃતસર સ્થિત અદિલવાલ ગામ પાસે નિરંકારી સમાગમમાં જે રીતે બ્લાસ્ટ થયો, ત્યારબાદ આ હુમલા વિશે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટો ખુલાસો કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યુ કે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે જે ગ્રેનેડ આ હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે પાકિસ્તાનની હથિયારની ફેક્ટરીમાં બનતા ગ્રેનેડથી મળતો આવે છે. આના પર પાકિસ્તાની દસ્તાક્ષર મળ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે નિરંકારી સ્થળ પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનનો હોઈ શકે છે હાથ
પંજાબ પોલિસે જે ગ્રેનેડ મળી આવ્યા છે તે એચજી-84 ગ્રેનેડ છે કે જે ગયા મહિને મળી આવેલા ગ્રેનેડ જેવા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે આનાથી એ વાતનો ઈશારો મળે છે કે આ હુમલામાં સીમા પારના લોકોના શામેલ થવાની સંભાવના છે. પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ અલગાવવાદી આતંકીઓનું કામ છે કે જે આઈએસઆઈ સમર્થિત ખાલિસ્તાની આતંકી છે કે પછી કાશ્મીરના આતંકી જૂથનો આ હુમલા પાછળ હાથ હોઈ શકે છે.

1978 સાથે ના જોડો
જો કે અમરિંદર સિંહે લોકોને કહ્યુ છે કે તે આ હુમલાને નિરંકારી-સિખ વચ્ચે વૈશાખીના દિવસે 1978માં થયેલા હુમલાથી ના જોડો જેમાં 13 શીખોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ પંજાબમાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યુ હતુ. તેમણે કહ્યુ કે 1978માં નિરંકારી તણાવ ધાર્મિક કારણોસર થયો હતો જ્યારે આ વખતે થયેલો હુમલો સ્પષ્ટ દેખાય છે કે આની પાછળ આતંકવાદ છે માટે આને 1978ના હુમલાથી ન જોડવો જોઈએ. આ હુમલાના લોકો વચ્ચે ભય પેદા કરવા માટે કરવામાં આવ્યો છે આની પાછળ ધર્મને કોઈ લેવાદેવા નથી.

પંજાબમાં તણાવ વધારવા માંગે છે આતંકવાદીઓ
એજન્સીઓ માનીએ તો ખાલિસ્તાની અને કાશ્મીરી આતંકી પંજાબમાં તણાવી વધારવા ઈચ્છે છે. પંજાબની સીમા 553 કિલોમીટર સુધી પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલો છે પંજાબ પોલિસ ઈન્ટેલીજન્સના સૂત્રો મુજબ જે રીતે કાશ્મીરમાં પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈએ આતંકવાદીઓને હેન્ડ ગ્રેનેડ હુમલા માટે તૈયાર કર્યા અને ઘણા પ્રકારના હુમલા થયા. તે જ રીતે અમૃતસરમાં પણ હુમલો કરવામાં આવ્યો. આઈએસઆઈ પંજાબમાં ખાલિસ્તાનીઓની મદદ કરી આતંક ફેલાવવા ઈચ્છે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
