Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
Ayodhya Verdict વિરુદ્ધની દાખલ પુનર્વિચાર અજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો, જે બાદ કેટલાય દશકોથી ચાલી રહેલ આ વિવાદનો અંત થઈ ગયો હતો. પરંતુ કોર્ટના ફેસલા પર અસહમતિ જતાવતા મુસ્લિમ પક્ષે આ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જો કે મુસ્લિમ પક્ષમાં પણ એક તબક્કો એવો છે જેનું કહેવું છે કે આ ફેસલાની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવી ન જોઈએ. જેથી આજે સૌકોઈની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત નવ નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ પર ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત ભૂમિને હિન્દુ પક્ષને આપવાનો આદેશ આપ્યો. જ્યાં રામ મંદિરનું નિર્માણ થવાનું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના જમીન પરના દાવાને ફગાવી દીધો હતો. પરંતુ કોર્ટે કહ્યું હતું કે નિર્મોહી અખાડાને રામ મંદિરના ટ્રસ્ટમાં જગ્યા આપવામાં આવે.
મુસ્લિમ પક્ષ તરફથી વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પાંચ એકર જમીનનો સ્વીકાર નહિ કરીએ કેમ કે આ શરિયા કાનૂનની વિરુદ્ધ છે. જફરયાબ જિલાની સુન્ની વક્ફ બોર્ડના વકીલ છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ફેસલામાં કેટલીય વિરોધાભાસી વાતો કહેવામાં આવી છે. શરિયા મુજબ મસ્જિદ ત્યાં જ રહે છે જ્યાં તેનું એકવાર નિર્માણ થઈ જાય છે. શરિયામાં આ વાતની ઈજાજત નથી કે અમે મંદિર બનાવવા માટે કોઈપણ પ્રકારની જમીન કે પૈસાનો સ્વીકાર કરીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
