ગુજરાત રમખાણોની કાર્યવાહી 3 મહિનામાં પુરી કરવામાં આવે: SC
નવી દિલ્હી, 14 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે આજે અમદાવાદની નિચલી કોર્ટને કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત ગુલબર્ગ સોસાયટી નરસંહાર મુદ્દે કાર્યવાહી ત્રણ મહિનાની અંદર પુરી કરવામાં આવે. આ નરસંહારમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી અને 67 અન્ય વ્યક્તિ મોતને ભેટ્યાં હતા.
મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તૂની અધ્યક્ષવાળી ખંડપીઠે કેસની સુનાવણીમાં વિલંબના લીધે આરોપીઓ જેલ બંધ હોવા પર ચિંતા વ્યક્ત કરતાં વિશેષ તપાસ ટુકડીને કહ્યું કે આ મુદ્દે કાર્યવાહી ઝડપી કરવામાં આવે. આ કાંડની તપાસ વિશેષ તપાસ ટીમે જ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે તેની પરવાનગી વગર નીચલી કોર્ટ પોતાનો ફેંસલો સંભળાવશે નહી. વિશેષ તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલી સીબીઆઇના પૂર્વ નિર્દેશક આર કે રાઘવને કહ્યું કે ત્રણ મહિનામાં કાર્યવાહી સમેટવી મુશ્કેલ રહેશે. તેના પર ન્યાયાધીશોએ કહ્યું કે કાર્યવાહી ઝડપથી પુરી કરવામાં આવે જો ત્રણ મહિનામાં પુરી ન થાય તો તે ન્યાયાલય પાસે આવે.
કોર્ટે આ પહેલાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કેટલાક આરોપીના લગભગ 10 વર્ષથી જેલમાં બંધ હોવાના અંગે પત્ર મળ્યા છે અને તે તેના પર આદેશ આપવા પર વિચારી રહ્યાં છે. કોર્ટે ત્રણ એપ્રિલના રોજ ગુજરતમાં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ સંબંધિત નવ કેસની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ ગુજરાત રમખાણોની તપાસ વિશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને કેટલાક સરકારી સંગઠનો દ્વારા વ્યક્ત આશંકાઓ બાદ નવ સંવેદનશીલ કેસની તપાસની પ્રગતિની દેખરેખ કરી રહી છે. તેમાં ગુલબર્ગ સોસાયટી, ઓડ, સરદારપુરા, નરોદા ગાંવ, નરોડા પાટિયા, માછીપીઠ, તરસાલી, પંડરવાડા અને રાઘવપુરાના રમખાણોની ઘટનાઓ સામેલ હતી.
વિશેષ તપાસ ટીમે માર્ચ 2012માં અમદવાદની ગુલબર્ગ સોસાયટી રમખાણોના મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો જેમાં 2002ના રમખાણોના મુદ્દે નરેન્દ્ર મોદી અને અન્ય વ્યક્તિઓને ક્લિન ચીટ આપવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
