બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી અને ઉમા ભારતીની મુશ્કેલી વધશે?
સુપ્રીમ કોર્ટની સુનવણીમાં બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત અન્ય સાત લોકો સામે આ મામલે નિર્ણય લેવાશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ફરી એકવાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિધ્વંસ નો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ પરસ્પર સમજુતીથી આવવો જોઇએ. જરૂર પડ્યે કોર્ટે મધ્યસ્થી બનવાની તૈયરી બતાવી છે. હવે ગુરૂવારના રોજ આ અંગે સુનવણી થશે કે, વર્ષ 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ મામલે આરોપી રહેલાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાશે કે કેમ?

ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલાં જ એક સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દા પર પહેલી નજરમાં નેતાઓને આરોપમુક્ત કરવા યોગ્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે સાથે જ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઇને આ મામલે નીચલી અદાલત તરફથી લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ સમયસર એક સપ્લિમેન્ટ્રિ ચાર્જશીટ દાખલ કરવી જોઇતી હતી. નીચલી અદાલતે ટેક્નિકલ ગ્રાઉન્ડ પર આ તમામ નેતાઓને આ કેસમાંથી આરોપમુક્ત કર્યાં હતા, જે પછી હાઇકોર્ટે પણ આ નિર્ણય માન્ય ઠરાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આ મામલે તમામ 13 આરોપીઓ વિરુદ્ધ અપરાધનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું હતું. સાથે જ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે બે અલગ-અલગ અદાલતોમાં ચાલી રહેલી સુનવણી અંગે સવાલ કરતાં પૂછ્યું હતું કે, રાયબરેલીમાં ચાલી રહેલ બાબરી મસ્જિદની સુનવણીને લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે તે કેવું? લખનઉમાં આની સાથે જોડાયેલા મામલાની સુનવણી ચાલી રહી છે અને માટે જ સુપ્રીમ કોર્ટ આ બંન્ને મામલાની સુનવણી એક સાથે કરવા માંગે છે.
જો કે, લાલકૃષ્ણ અડવાણીએઆનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આમ કરવા માટે 183 સાક્ષીઓને ફરીથી બોલાવવા પડશે, જે ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. હવે આજની કાર્યવાહી બાદ આ મામલે અંતિમ નિર્ણય ગુરૂવારે લેવાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
