શશિકલા જેલના સળિયા પાછળ, દીપાનો રાજકારણમાં પ્રવેશ
મંગળવારે આવકથી વધુ સંપત્તિના કેસમાં આવેલા ચૂકાદાને આધારે શશિકલાને 4 વર્ષની જેલની સજા મળી હતી, તો બીજી બાજુ પન્નીરસેલ્વમ જયલલિતાની ભત્રીજી દીપા સાથે અમ્માની સમાધિ પર પહોંચ્યા હતા.
તમિલનાડુ માં ચાલી રહેલા રાજકાણીય સંકટમાં એક પછી એક ચહેરાઓ અને મુદ્દાઓ ઉમેરાતા જાય છે. મંગળવારના રોજ આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શશિકલા અને તેમના અન્ય બે સંબંધીએ દોષીત જાહેર કરતાં કોર્ટે 4 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ એઆઇએડીએમકેના 120 ધારાસભ્યોના દળે મળીને ઓ.પન્નીરસેલ્વમ ને પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો.
એઆઇએડીએમકે ના ધારાસભ્ય દળનું નેતૃત્વ ઇ.પલાનીસામીને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવકથી વધુ સંપત્તિના કેસમાં દોષીત જાહેર થયા બાદ હવે શશિકલા લગભગ 10 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય નહીં થઇ શકે. આથી જ 120 ધારાસભ્યોની બેઠકે મળીને ઇ.પલાનીસામીને નેતા જાહેર કર્યાં છે.

પહેલા સરન્ડર, પછી પુનર્વિચારની અરજી
આ સાથે જ શશિકલા સુપ્રીમ કોર્ટમાં પુર્વિચાર અરજી દાખલ કરવાની પણ યોજના બનાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં શશિકલાને સરન્ડર કરવા માટે કોઇ ચોક્કસ સમયગળો આપવામાં નહોતો આવ્યો. આ કારણે જ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, શશિકલાએ બને એટલું જલ્દી કોર્ટ સમક્ષ સરન્ડર કરવું પડશે. શશિકલાના કાનૂની સલાહકારોએ તેમને પહેલા કોર્ટ સમક્ષ હાજર થઇ જવાની અને ત્યાર બાદ પુનર્વિચારની અરજી દાખલ કરવાની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શશિકલા બુધવારે બેંગ્લુરૂ પહોંચશે અને કોર્ટ સમક્ષ સરન્ડર કરશે અને ત્યાંથી તેમને સેન્ટ્રલ જેલ લઇ જવામાં આવશે.

દીપાની રાજકારણમાં એન્ટ્રી
બીજી બાજુ, એઆઇએડીએમકે પાર્ટીમાંથી બરતરફ થયા બાદ ઓ.પન્નીરસેલ્વમે જયલલિતાની ભત્રીજી દીપા સાથે હાથ મિલાવ્યો હોવાની ખબર આવી છે. મંગળવારે પન્નીરસેલ્વમ પોતાના સમર્થકો અને જયલલિતાની ભત્રીજી દીપા સાથે જયલલિતાની સમાધિ પર પહોંચ્યા હતા. પન્નીરસેલ્વમ અને દીપાએ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાર બાદ દીપાએ કહ્યું હતું કે, અમ્માના આશીર્વાદ સાથે આ તેમનો રાજકારણમાં સત્તાવાર પ્રવેશ છે. આ સાથે જ તેમણે પન્નીરસેલ્વમના વખાણ કરતાં કહ્યું હતું કે, અમ્માના વારસાને જો કઇ આગળ લઇ જઇ શકે એમ હોય તો તે પન્નીરસેલ્વમ છે. દીપાએ પન્નીરસેલ્વમનો આભાર પણ માન્યો હતો. આથી હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, દીપા પોતાની રાજકારણીય કારકિર્દીની શરૂઆત ઓ.પન્નીરસેલ્વમ સાથે કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
