ચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પત્ર લખીને ચીન દ્વારા જાસૂસી મામલે કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલને માહિતી આપી છે.
નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ સતત વધી રહ્યો છે. ચીન રોજ ભારત સામે નવા ષડયંત્ર રચી રહ્યુ છે. હાલમાં જ પોતાની કંપનીઓ દ્વારા ભારતીય નેતાઓની જાસૂસીના સમાચાર સામે આવ્યા બાદથી ખુફિયા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ મામલે ભારત સરકારે ચીની રાજદૂત સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ ચીને જાસૂસી કરવા કે કરાવવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પત્ર લખીને આ માહિતી કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલને આપી છે.

સંસદના મોનસુન સત્રમાં વારંવાર ચીન વિશે વિપક્ષના સવાલો પર ગુરુવારે એસ જયશંકરને જવાબ આપ્યો. કે સી વેણુગોપાલને લખેલા પત્રમાં એસ જયશંકરે જણાવ્યુ કે સરકાર દ્વારા નેશનલ સાઈબર સિક્યોરિટી કો-ઑર્ડિનેશન હેઠળ એક વિશેષજ્ઞોની સમિતિનુ પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ ચીન દ્વારા જાસૂસી કરાવવા અંગેના સત્યની તપાસ કરશે. અમે આ મુદ્દો વિદેશ મંત્રાલય સામે પણ ઉઠાવ્યો છે. આ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના રાજદૂત સમક્ષ પૂરજોશમાં આ મુદ્દો ઉઠાવ્યો.
એસ જયશંકરે લખ્યુ, બેઈજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ચીની વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દાને ઉઠાવ્યો છે. પરંતુ આના જવાબમાં ચીન સરકારે કહ્યુ કે શેનજેન જેન્હુઆ એક ખાનગી કંપની છે. આને ચીન સરકાર સાથે કોઈ સંબંધ નથી. કેન્દ્રીય મંત્રીએ પત્રમાં આગળ કહ્યુ, શેનજેન જેન્હુઆ કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યુ કે ડેટા મુક્ત સ્ત્રોત માટે ગાય છે, કંપનીએ ગોપનીય સૂત્રોથી ભારતીય નેતાઓની અંગત માહિતીઓ મેળવવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. વળી, સરકાર દ્વારા રચવામાં આવેલ સમિતિ ચીનની કંપની શેનજેન જેન્હુઆ પર ભારતની પ્રમુખ હસ્તીઓની જાસૂસી કેસની તપાસ કરશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
