આ 7 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત!
વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા સંક્રમણ અને વાયરસના નવા મ્યૂટેશનને જોતા ભારત સરકારે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ચીન સહિત 7 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા સંક્રમણ અને વાયરસના નવા મ્યૂટેશનને જોતા ભારત સરકારે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ચીન સહિત 7 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવી માર્ગદર્શિકા જારી કરી છે અને કહ્યું છે કે આ માર્ગદર્શિકાના નિયમોનું પાલન થવું જોઈએ. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં હજુ પ્રબળ છે અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે.

ICMR ના ડીજી બલરામ ભાર્ગવે સરકારને પત્ર લખીને કહ્યું છે કે, SARS-CoV-2 માં નવા મ્યૂટેશનના અહેવાલો અને વૈશ્વિક સ્તરે વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VOCs) અને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (Vols) ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતના એરપોર્ટ પર ઉતરતા 7 દેશોમાંથી આવતા નાગરિકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. આ સિવાય તેણે ઉડાન ભરતા પહેલા બીજો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેથી આવતા પ્રવાસીઓ માટે આ ટેસ્ટ ફરજીયાત રહેશે. આ ટેસ્ટ વિના મુસાફરોને બહાર આવવા દેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયાથી આવતા મુસાફરોને ભારતીય એરપોર્ટ પર લેન્ડિંગ પર ફરી RT-PCR ટેસ્ટ કરાવવો પડતો હતો, હવે આ 7 દેશોને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના કેસો ફરી એકવાર વધવા લાગ્યા છે. શુક્રવારે દેશમાં કોરોનાના 45452 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 4 લાખ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસ 40 હજાર ઉપર આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
