વિદેશ જતા મુસાફરોએ એરપોર્ટ પર બતાવવો પડશે QR કોડવાળો RT-PCR રિપોર્ટ, આજથી નિયમ લાગુ
વિદેશની યાત્રા કરનાર નાગરિકો માટે શનિવારથી એક નવો નિયમ એરપોર્ટ પર લાગુ થઈ ગયો છે.
નવી દિલ્લીઃ વિદેશની યાત્રા કરનાર નાગરિકો માટે શનિવારથી એક નવો નિયમ એરપોર્ટ પર લાગુ થઈ ગયો છે. વાસ્તવમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે વિદેશ જતા મુસાફોએ હવે એરપોર્ટ પર ક્યુઆર કોડવાળી કોરોના RT-PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે ત્યારે જ મુસાફરોને વિમાનમાં ચડવાની મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણકે ઘણી વવાર એરપોર્ટ પર કે ક્યાંય પણ કોરોનાનો નકલી રિપોર્ટથી પણ અધિકારીઓની આંખોમાં ધૂળ ઝોંકવાની કોશિશ કરવામાં આવે છે માટે હવે ક્યુઆર કોડવાળા કોરોના રિપોર્ટ દ્વારા લેબ અને રિપોર્ટ બંનેની વેલિડિટી જાણી શકાશે.

મોટાભાગની લેબના રિપોર્ટમાં આવવા લાગ્યો છે ક્યુઆર કોડ
મંત્રાલય તરફથી જારી અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'એરલાઈન ઑપરેટરોને એ સલાહ આપવામાં આવે છે કે 22 મે, 2021થી માત્ર એ મુસાફરોને જ ફ્લાઈટમાં ચડવાની મંજૂરી આપવામાં આવે જેમની પાસે ક્યુઆર કોડવાળો કોરોના નેગેટીવ રિપોર્ટ હોય.' તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોનાના રિપોર્ટમાં ક્યુઆર કોડની સુવિધા નહોતી પરંતુ હવે મોટાભાગની લેબોરેટરીઝે પોતાના આરટી-પીસીઆર રિપોર્ટ પર ક્યુઆર કોડ આપવાનુ શરૂ કરી દીધુ છે.
કેમ જરૂરી છે ક્યુઆર કોડવાળો રિપોર્ટ?
તમને જણાવી દઈએ કે કોરોના RT-PCR રિપોર્ટ પર ક્યુઆર કોડ દ્વારા ટેસ્ટની પૂરી માહિતી સામે આવી જશે. આનાથી નકલી રિપોર્ટથી એરપોર્ટ આવતા મુસાફરોને રોકી શકાશે. પૂણેના કૃષ્ણા ડાયાગ્નોસ્ટિક્સમાં કોવિડ-19 મેનેજર શ્રવણ મુથાએ કહ્યુ કે તેમણે પોતાની લેબમાં નકલી નેગેટીવ રિપોર્ટથી બચવા માટે એક પ્રયોગ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે ક્યુઆર કોડ દ્વારા અમારા પોર્ટલ પર તમને દર્દીની બધી માહિતી મળી જશે.
31 મે સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર છે પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ઈન્ટરનેશનલ કૉમર્શિયલ ફ્લાઈટ 31 મે સુધી સંપૂર્ણપણે બંધ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનાડા, યુએઈ અને બ્રિટન સહિત ઘણા દેશોએ પણ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
