RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ - જોશમાં હોશ ન ગુમાવવુ, આપણુ કામ છે પુરુષાર્થ કરવાનુ, નારેબાજી નહિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બિહારમાં આંતરરાષ્ટ્રીય સંત સંમેલનમાં હાજરી આપી. જાણો અહીં તેમણે શું કહ્યુ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બિહારના બક્સર જિલ્લા અંતર્ગત અહિરૌલી ગામમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંત સંમેલનમાં હાજરી આપી. જ્યાં મુખ્ય અતિથિ તરીકે તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યુ કે ભગવાન રામે સમાજના બધા વર્ગોને જોડવાનુ કામ કર્યુ છે. આપણે ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. સોમવારથી શરુ થયેલા આ નવ દિવસીય આ સંમેલનમાં દેશભરમાંથી આવેલા સંતો અને સ્વયંસેવકોએ ભાગ લીધો. ભાજપ શાસિત રાજ્યોના ઘણા રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને બે ઉપમુખ્યમંત્રીઓના ભાગ લેવાની આશા છે.

મોહન ભાગવતે કહ્યુ કે ધર્મનો વાસ્તવિક અર્થ છે સમાજ અને વિશ્વનુ કલ્યાણ. આના માટે આપણે શરીરને ઠીક રાખવાનુ છે અને મનને ઉદ્દાત. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કર્તવ્ય પથથી વિચલિત ના થવુ જોઈએ. કોઈના ડરથી નહિ પરંતુ ધર્મ માટે કામ કરવુ જોઈએ. ભાગવતે આહ્વાન કર્યુ કે સાચા હિંદુ બનો અને શ્રીરામનુ જાપ કરો. ભાગવતે કહ્યુ કે, 'લોકોએ ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના દ્વારા આપવામાં આવેલા મૂલ્યો પર આધારિત સમાજની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. ભગવાન રામે એવા સમાજ માટે માર્ગ મોકળો કર્યો જ્યાં દરેક વ્યક્તિ નિર્ભયતાથી જીવે. તેમણે જીવનભર સામાજિક સમરસતાના માર્ગને અનુસર્યો.'
આરએસએસ પ્રમુખે પોતાના સંબોધન દરમિયાન વધુમાં કહ્યુ કે, 'રામ મનોહર લોહિયાએ કહ્યુ હતુ કે ભગવાન રામે મનોહર કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશને એક કર્યો હતો. ભાગવતે કહ્યુ કે એ વાત સાચી છે કે ભગવાન રામે આખા દેશને એક કર્યો. આપણે બધા ભારતીયોએ ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના સામાજિક એકતાના વિચારને પ્રોત્સાહન આપવુ જોઈએ.' ભાગવતે કહ્યુ, 'ભગવાનની કોઈ કામના નથી હોતી તેમ છતાં તે લીલા બતાવે છે. આપણી મનોકામનાઓ પૂરી કરવા પૃથ્વી પર આવે છે. જ્યારે ભગવાન પુરુષાર્થ કરતા હોય ત્યારે આપણુ કામ પણ પુરુષાર્થ કરવાનુ છે.' ભાગવતે સંતોને નારા ના લગાવવાની સલાહ આપી અને જોશમાંમાં હોશ ન ગુમાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યુ કે સંતોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ તેના માટે પુરુષાર્થ કરવો પડશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
