રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એનડી તિવારીના દીકરા રોહિત શેખરના મૃત્યુ મામલે દિલ્હી પોલીસે તેમની પત્ની અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસે શરૂઆતથી જ તેમની પત્ની અપૂર્વાની ભૂમિકાને સંદિગ્ધ માની રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાછલા કેટલાય દિવસોથી તેમની સતત પૂછપરછ કરી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે પૂછતાછ દરમિયાન અપૂર્વા તપાસ ટીમ સમક્ષ સતત પોતાના નિવેદન પણ બદલી રહી હતી. રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ બાદ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ બહુ જલદી રોહિત શેખરના મૃત્યુના સિક્રેટ પરથી પડદો હટાવી શકે છે.

રોહિતના ભાઈ અને નોકરાણીઓને ક્લીન ચિટ
જણાવી દઈએ કે રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસની તપાસ ટીમ તેમની પત્ની અપૂર્વા, ભાઈ સિદ્ધાર્થ, નોકર ભોલૂ, ડ્રાઈવર અખિલેશ અને બે નોકરાણીઓની પૂછપરછ કરી રહી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે રોહિત શેખરનું જે રાત્રે મૃત્યુ થયું ત્યારે પહેલા માળે તેમની પત્ની અપૂર્વા, ઘરનો નોકર ભોલૂ અને ડ્રાઈવર અખિલેશ હતા, જ્યારે રોહિતનો ભાઈ સિદ્ધાર્થ અને બે નોકરાણીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. જો ક સૂત્રોનું માનીએ તો પોલીસે રોહિતના ભાઈ સિદ્ધાર્થ અને બંને નોકરાણીઓને ક્લીન ચિટ આપી દીધી છે. રોહિતની પત્ની અપૂર્વા સાથે પૂછપરછ બાદ તેની ભૂમિકા સંદિગ્ધ મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

અપૂર્વા-રોહિતના સંબંધ ઠીક નહોતા
અગાઉ રોહિત શેખરની મા ઉજ્જવલા અપૂર્વા અને રોહિતના સંબંધોને લઈ મોટું સિક્રેટ ખોલ્યું હતું. ઉજ્જવલાએ જણાવ્યું કે અપૂર્વા અને રોહિત વચ્ચે દિવસેને દિવસે સંબંધ બગડતા જઈ રહ્યા હતા. તેમના મુજબ લગ્નના આગલા દિવસેથી જ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, બંને અલગ-અલગ જ ઉંઘતાં હતાં. આ કારણ જ હતું કે બંને સહમતિથી તલાકની તૈયારી કરી રહ્યા હતા અને જો બધું ઠીક રહેત તો જૂનમાં અપૂર્વા અને રોહિત અલગ થઈ શકે તેમ હતાં. ઉજ્જવલાએ રોહિતના મૃત્યુ બાદ જ કહ્યું હતું કે જે પરિસ્થિતિઓમાં તેના દીકરાનું મૃત્યુ થયું તે વિશે બાદમાં જણાવશે.

રોહિતની માએ લગાવ્યા ગંભીર આરોપ
રોહિતની મા ઉજ્જવલાએ અપૂર્વા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉજ્જવલાએ કહ્યું હતું કે અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા માંગે છે. તેમનું એમ પણ કહેવું હતું કે રોહિત જે ઘરમાં રહેતો હતો, તે સુપ્રીમ કોર્ટ પાસે છે, અહીં અપૂર્વા પ્રેક્ટિસ કરે છે. રોહિતની માએ કહ્યું કે અપૂર્વાનો પરિવાર પૈસાનો લાલચી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ રૂપે ઈન્દોરની રહેવાસી છે. તેમની અને રોહિતની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે.

એક વર્ષ પહેલા જ થયાં હતાં લગ્ન
જણાવી દઈએ કે નારાયણ દત્ત તિવારી લાંબા સમય સુધી રોહિતને પોતાનો દીકરો માનવાથી પણ ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારીએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાના દીકરા તરીકે સ્વીકાર કરી લીધો. એનડીએ તિવારીનું 93 વર્ષની ઉંમરે 18 ઓક્ટોબર 2018ના રોજ નિધન થયું હતું. રોહિત જાન્યુઆરી 2017માં ભાજપમાં સામેલ થયો હતો અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
