ઉજ્વલાએ રોહિત શેખર અને અપૂર્વા વિશે ખોલ્યો વધુ એક મોટો રાઝ
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની મોતની ગુત્થીના પડ ધીમે ધીમે ખુલી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની મોતની ગુત્થીના પડ ધીમે ધીમે ખુલી રહ્યા છે. દિલ્લી પોલિસ અલગ અલગ એંગલોને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ કરી રહી છે. જ્યારે આ મામલે વધુ એક નવી વાત સામે આવી છે. મા ઉજ્વલા એક વાર ફરીથી મીડિયા સામે આવી અને અપૂર્વા-રોહિતના સંબંધો વિશે તેણે એક મોટો રાઝ ખોલ્યો છે.

છૂટાછેડાની તૈયારી કરી રહ્યા હતા અપૂર્વા-રોહિત
ઉજ્વલાએ જણાવ્યુ કે અપૂર્વા-રોહિત વચ્ચે સંબંધો રોજેરોજ બગડતા જઈ રહ્યા હતા. તેમના મુજબ લગ્નના આગલા દિવસથી જ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, બંને અલગ અલગ સૂતા હતા. આ જ કારણ હતુ કે બંને પરસ્પર છૂટાછેડાની તૈયારી કરી રહ્યા હતા જો બધુ ઠીક રહેતુ તો જૂનમાં અપૂર્વા અને રોહિત અલગ થઈ શકતા હતા.

ઘણી વાર બંને વચ્ચે થતા હતા ઝઘડા - ઉજ્વલા
આ તરફ પોલિસ પણ મૃતક રોહિત શેખરના ઘરે અડ્ડો જમાવેલો છે અને બધા લોકોને અંદર જ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલિસના રડાર પર રોહિતની પત્ની અપૂર્વા છે કારણકે રોહિતની મા ઉજ્વલાએ તેની વિશે ઘણા રાઝ ળોક્યા છે. ઉજ્વલાએ રોહિતના મોત બાદ જ કહ્યુ હતુ કે જે પરિસ્થિતિઓમાં તેમના પુત્રનું મોત થયુ છે તેના વિશે તે બાદમાં જણાવશે.

‘અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા ઈચ્છે છે'
રોહિતની મા ઉજ્વલાએ અપૂર્વા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉજ્વલાનું કહેવુ હતુ કે અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા ઈચ્છે છે. તેમનુ એ પણ કહેવુ હતુ કે રોહિત જે ઘરમાં રહેતો હતો તે સુપ્રીમ કોર્ટ પાસે છે જ્યાં અપૂર્વા પ્રેકટીસ કરે છે. રોહિતની માએ કહ્યુ કે અપૂર્વોનો પરિવાર પૈસાનો લાલચી છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અપૂર્વા
રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ ઈન્દોરની રહેવાસી છે. તેમની અને રોહિતની મુલાકાત દિલ્લીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે. ઈન્દોરમાં તે જાણીતા વકીલ છે. હંમેશા લાઈમલાઈટથી દૂર રહેતી અપૂર્વા દીલ્લીમાં જ રહે છે. વકીલાત સાથે સાથે અપૂર્વા સામાજિક કાર્યોમાં પણ રસ લે છે.

નારાયણ દત્ત તિવારીએ રોહિતને પોતાનો પુત્ર સ્વીકારી લીધો હતો
તમને જણાવી દઈએ કે નારાયણ દત્ત તિવારી લાંબા સમયથી રોહિતને પોતાનો પુત્ર માનવાનો ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારીએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાનો પુત્ર સ્વીકારી લીધો હતો. એનડી તિવારીનું93 વર્ષની વયે ઓક્ટોબર 2018ના રોજ નિધન થઈ ગયુ હતુ. જાન્યુઆરી 2017માં ભાજપમાં શામેલ થયા હતા અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા શુક્લા સાથે લગ્ન કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
