RLD પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજિતસિંહે અંતિમ શ્વાસ લીધા, કોરોના સંક્રમિત હતા
RLD પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજિતસિંહે અંતિમ શ્વાસ લીધા, કોરોના સંક્રમિત હતા
કોરોના સંક્રમણથી પીડાઈ રહેલા રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું. આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહે ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 82 વર્ષીય અજિત સિંહની તબીયત મંગળવારની રાતે અચાનક બગડી ગઈ હતી, જે બાદ તેમને ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે મેડિકલ રિપોર્ટ મુજબ સિંહના અજિત સિંહના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હતું, જે કારણે તેમની હાલત નાજુક હતી.

ચૌધરી અજિત સિંહ ભારતના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના દીકરા અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી હતા. અજિત સિંહનો જન્મ 12 ફેબ્રુઆરી 1939ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થયો હતો. અજિત સિંહે પોતાનું શિક્ષણ લખનઉ વિશ્વવિદ્યાલય અને આઈઆઈટી ખડગપુર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોથી ગ્રહણ કરી હતી. ચૌધરી અજિત સિંહ બાગપતથી સાત વખત સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે. 82 વર્ષની ઉંમરમાં તેમનું કોરોનાથી નિધન થયું. તેમના નિધન બાદ બાગપત સહિત પશ્ચિમી યૂપીમાં શોકની લહેર છે.
રાજકીય સફરની શરૂઆત
રાષ્ટ્રીય લોકદળના પ્રમુખે પોતાના રાજકીય સફરની શરૂઆત 1986થી કરી હતી. એ સમયે તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. જે બાદ 1987થી 1988 સુધી તેઓ લોકદળ (એ) અને જનતા પ્રીટના અધ્યક્ષ પણ રહ્યા. 1989માં જનતા દળમાં પોતાની પાર્ટીનો વિલય કર્યા બાદ તેઓ તેના મહાસચિવ બની ગયા. 1989માં અજિત સિંહ પહેલીવાર બાગપતથી લોકસભા પહોંચ્યા હતા. વીપી સિંહ સરકારમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. જે બાદ તેઓ 1991માં ફરીથી બાગપતથી જ લોકસભા પહોંચ્યા. આ વખતે નરસિમ્હારાવની સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા. 1996માં તેઓ ત્રીજીવાર કોંગ્રેસની ટિકિટ પર લોકસભા પહોંચ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
