સીએમ યોગીને તેજસ્વીએ પૂછ્યુ, ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે?
રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પાર્ટીના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ઘેર્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે હનુમાનને દલિત ગણાવ્યા તેના માટે હોબાળો વધતો જ જઈ રહ્યો છે. જ્યાં તેમની આ ટિપ્પણી પર ઘણા હિંદુ સંગઠનોએ યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલી દીધો છે. બીજી તરફ રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ સમાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સામે નોટિસ મોકલી દીધી છે. આ નોટિસમાં યોગી આદિત્યનાથને માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે. આ બધા વચ્ચે યોગી આદિત્યનાથના નિવેદન પર રાજકારણ પર ગરમાવા લાગ્યુ છે. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો છે.
|
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને સાધ્યુ નિશાન
રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પાર્ટીના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ઘેર્યા છે. તેજસ્વી યાદવે કહ્યુ, ‘હનુમાનજીની જાતિ બતાવનાર યુપીના સીએમ અજય સિંહ બિષ્ટને પૂછવુ જોઈએ કે ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે? શું કોઈ દલિત ભાજપનો મુખ્યમંત્રી છે? જો કોઈ દલિત ભાજપના સીએમ નથી તો તેનો અર્થ યોગીનુસાર ભાજપ બજરંગબલી હનુમાનજીનું સમ્માન નથી કરતી. શરમજનક! '

યોગી આદિત્યનાથે છેવટે શું કહ્યુ હતુ...
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવર જિલ્લાના માલાખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યુ હતુ, ‘ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સમગ્ર ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધાને જોડવાનું કામ બજરંગબલી કરે છે. એટલા માટે બજરંગબલીનો સંકલ્પ હોવો જોઈએ.'

નિવેદન પર ગરમાયુ રાજકારણ
આટલુ જ નહિ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ કે રામના જે ભક્ત છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે. જે રાવણના ભક્ત છે તે જ કોંગ્રેસને મત આપે છે. વળી, તેમણે કહ્યુ કે રામ રાજ્ય જોઈએ તો ભાજપને જ મત આપો. યોગી આદિત્યનાથના આ નિવેદન પર રાજસ્થાનનના સર્વ બ્રાહ્મણ સમાજનું કહેવુ છે કે બજરંગબલી ન તો દલિત હતા, ના વંચિત અને ના લોકદેવતા. એટલા માટે યોગી આદિત્યનાથે પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઈએ.

ચૂંટણી પ્રચાર માટે લગભગ 20 દિવસ યુપીથી બહાર રહ્યા યોગી
યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રમોદ તિવારીએ પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે ભાજપ હજુ સુધી માણસોમાં ભાગલા પાડવાનું જ કામ કરી રહી હતી પરંતુ હવે આ ભગવાનને પણ જાતિમાં વહેંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. સીએમ યોગી લગભગ 20 દિવસ ઉત્તર પ્રદેશથી બહાર રહ્યા છે. આ દરમિયાન સીએમ યોગીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બેક ટુ બેક રેલીઓ સંબોધિત કરી. ભાજપ નેતાઓ મુજબ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ જ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
