મહારાષ્ટ્રઃ દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક, સરકાર બનાવવા અંગે થશે ચર્ચા
આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે જેમાં સરકાર કોની અને કેવી રીતે બનશે તેના પર ચર્ચા થશે.
મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ વચ્ચે હજુ પણ પેચ ફસાયેલો છે, ભાજપનો સાથે છોડીને સરકાર બનાવવાના સપના જોઈ રહેલી શિવસેનાને એનસીપી પ્રમુખ શરદ પવારના નિવેદનથી આકરો ઝટકો લાગી શકે છે કારણકે સોમવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમની પાસે સરકાર બનાવવા માટે ઘણો બધો સમય છે, હજુ બીજા કોઈ સાથે સરકાર બનાવવાની ચર્ચા થઈ નથી.

દિલ્લીમાં આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક
હાલમાં આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે જેમાં સરકાર કોની અને કેવી રીતે બનશે તેના પર ચર્ચા થશે, બેઠકમાં અજિત પવાર, જયંત પાટિલ, પ્રફૂલ્લ પટેલ, અશોક ચવ્વાણ અને બાલાસાહેબ થોરાટ શામેલ હશે. તમને જણાવી દઈએ કે કાલે શરદ પવારના સોનિયા ગાંધીને મળ્યા બાદ શિવસેના નેતા સંજય રાઉત પણ તેમને મળવા પહોંચ્યા હતા, રાઉતે મુલાકાત બાદ કહ્યુ કે બધી પાર્ટીઓ ઈચ્છે છે કે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન ખતમ થવુ જોઈએ.

સરકાર બનાવવા અંગે વાત નથી થઈઃ પવાર
જો કે પ્રેસ કોન્ફરન્સમાં પવારે સ્પષ્ટ કહ્યુ કે હજુ સરકાર બનાવવા પર વાત નથી થઈ, હજુ કોંગ્રેસ-એનસીપીએ પરસ્પર વાત કરી છે, આગળની રણનીતિ માટે બંને પાર્ટીના નેતા પરસ્પર વાત કરશે, જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યુ કે શિવસેના દાવો કરી રહી છે કે તેમની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે, તો શરદ પવારે જવાબ આપ્યો કે મને નથી ખબર કે તેમની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છે, તે જ આ વિશે જણાવી શકે છે, હું નહિ.

આજ સુધી વિરોધ માટે વેલમાં નથી ગયોઃ પવાર
પીએમ દ્વારા રાજ્યસભામાં એનસીપીની પ્રશંસા પર પવાર બોલ્યા કે હું આટલા વર્ષોથી સંસદનો સભ્ય છુ, આજ સુધી ક્યારેય પણ વિરોધ માટે વેલમાં નથી ગયો. આ અમારી પાર્ટીની નીતિ છે, પીએમે તેનો જ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે સોમવારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
Sh. Sharad Pawar met the Congress President today and briefed her on the situation in Maharashtra. It was decided that in a day or two, representatives from NCP & Congress will meet in Delhi to discuss the way forward
— Randeep Singh Surjewala (@rssurjewala) 18 November 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
