પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીત વિશે આપેલા કલ્યાણ સિંહના નિવેદનને ચૂંટણી કમિશને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ છે. ચૂંટણી કમિશને આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણ કરવા માટે એક પત્ર લખશે. કલ્યાણ સિંહના આ નિવેદન પર ઘણા રાજકીય પક્ષોએ વાંધો વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીની જીત વિશે આપ્યુ હતુ નિવેદન
ભાજપે અલીગઢથી ફરીથી ઉમેદવાર રૂપે સતીશ ગૌતમના નામની ઘોષણા કરી. આ વિશે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી હતી અને એ દરમિયાનજ 23 માર્ચે અલીગઢમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે કહ્યુ હતુ, ‘અમે બધા ભાજપ કાર્યકર્તા છે અને અમે ઈચ્છીએ છીએ કે ભાજપ જ ચૂંટણી જીતે. અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ દેશ માટે બહુ જરૂરી છે.'

કલ્યાણ સિંહના આ નિવેદન પર ગરમાયુ હતુ રાજકારણ
કલ્યાણ સિંહના આ નિવેદન પર દેશનું રાજકારણ ગરમાયુ હતુ. વિપક્ષી દળોએ કલ્યાણ સિંહના આ નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ, ‘રાજ્યપાલનું પદ એક બંધારણીય પદ હોય છે, એક લોકતંત્રમાં રાજ્યપાલને નિષ્પક્ષતા અને બધા પક્ષોથી અંતર જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે.' ચૂંટણી કમિશમે ગયા અઠવાડિયે યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ આ કેસમાં તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે... ગુલશેર અહેમદને રાજ્યપાલના પદેથી આપવુ હતુ રાજીનામુ
આ પહેલા 90ના દશકમાં કોઈ રાજ્યપાલ દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ ગુલશેર અહેમદને મધ્યપ્રદેશમાં તેમના પુત્ર સઈદ અહેમદ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવામાં આવ્યા હતા. ચૂંટણી કમિશને આના પર વાંધો વ્યક્ત કર્યો હતો અને આ વિશે ઘણો વિવાદ થયો હતો તે બાદ ગુલશેર અહેમદે પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
