રાજા-મહારાજાઓ લોકોની જમીનો છીનવી લેતા હતા : રાહુલ ગાંધી
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઇ ગયા છે, હવે 4 તબક્કા બાકી છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

જાહેર સભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજા-મહારાજા પોતાની મનમાની કરતા હતા, તેઓ લોકોને ડરાવી-ધમકાવીને લોકોની જમીન છીનવી લેતા હતા.
દેશના શૂરવીર રાજા મહારાજાઓ ઉપર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની અપમાનજનક ટિપ્પણી.....
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) April 27, 2024
(આજરોજ એક જાહેર સભામાં) pic.twitter.com/9wChmrjuIk
કર્ણાટકના બેલ્લારીમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધી જણાવ્યું હતું કે, જ્યારે રાજાઓ અને મહારાજાઓનું શાસન હતું, ત્યારે તેઓને જે ગમે તેમ કરતા હતા. જો તેઓને કોઈની જમીન જોઈતી હતી, તો તેઓ તેને છીનવી લેતા હતા.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને અમારા કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી મેળવી, લોકશાહી લાવી અને દેશવાસીઓને બંધારણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના બેલ્લારીમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતાએ આ નિવેદનો આપ્યા હતા. આ પહેલા ભાજપ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જણાવ્યું હતું કે, રાજા-મહારાજાઓનો મુગલો અને અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
