ખેડૂતોના રેલ રોકો આંદોલનને પગલે રેલ્વેએ 40 ટ્રેનો રદ્દ કરી, પઠાણકોટ-જમ્મુ તાવી રેલ વિભાગ ઠપ્પ!
પંજાબમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના રેલ રોકો આંદોલનને કારણે 40 ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાં ઘણી મુખ્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. ડિસેમ્બરમાં રજાઓ ગાળવા જતા લોકોએ હવે આ કારણે પોતાનો પ્લાન બદલવો પડશે.
પંજાબમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના રેલ રોકો આંદોલનને કારણે 40 ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમાં ઘણી મુખ્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. ડિસેમ્બરમાં રજાઓ ગાળવા જતા લોકોએ હવે આ કારણે પોતાનો પ્લાન બદલવો પડશે. ટ્રેનો રદ થવાના કારણે હવે મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ લોન માફી અને અન્ય માંગણીઓ પર સરકારની અવહેલનાના વિરોધમાં રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોએ અનિશ્ચિત સમય માટે રેલ ટ્રેક બ્લોક કરી દીધો છે. નવી દિલ્હી શતાબ્દી સહિત આઠ ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પરથી રવાના કરવામાં આવી હતી. ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફિરોઝપુર ડિવિઝન અનુસાર, સોમવારે રાજ્યભરમાં ચાર મુખ્ય રેલ ટ્રેક અમૃતસર-બિયાસ રેલ સેક્શન પર જંડિયાલા-માનાવાલા વચ્ચે, જલંધર-પઠાણકોટ રેલ સેક્શન પર ટાંડા ઉડમુડ-ખુુડ્ડા કુરાલા વચ્ચે RUB પર ફિરોઝપુરમાં બસ્તી ટંકાવલી અને અમૃતસર-ખેમકરણ વચ્ચે તરનતારનમાં ખેડૂતો રેલ્વે લાઇન પર ધરણા પર બેઠા છે.
તેના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. ફિરોઝપુર રેલ્વે વિભાગે અમૃતસર અને જમ્મુથી ઉપડતી 40 ટ્રેનો રદ કરી છે. સોમવારે 12 ટ્રેનો રદ કરવામાં આવી હતી. અને 28 ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે. અનિશ્ચિત રૂપે અમૃતસરથી જયનગર (14650), અમૃતસરથી હાવડા (13006), અમૃતસરથી મુંબઈ સેન્ટ્રલ (12904), અમૃતસરથી દરભંગા (15512), જમ્મુ તાવીથી વારાણસી (12238), જમ્મુ તાવીથી અજમેર (12414), જમ્મુ તાવીથી દિલ્હી (12414) સરાઈ રોહિલ્લા (12266), જમ્મુ તાવીથી કોલકાતા (13152), જમ્મુ તાવીથી અમદાવાદ (19226), જમ્મુ તાવીથી નવી દિલ્હી (12426), જમ્મુ તાવીથી જેસલમેર (14646), જમ્મુ તાવીથી હાવડા (12332), જમ્મુ તાવીથી નવી દિલ્હી (12426), જમ્મુ તાવીથી હાવડા (12332) પુણે (11078), શ્રી વૈષ્ણોદેવી કટરાથી જૂની દિલ્હી (14034), શ્રી વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્હી (12440), શ્રી વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્હી (12446), શ્રી વૈષ્ણોદેવી કટરાથી કન્યાકુમારી (16318), શ્રી વૈષ્ણો દેવી કટરાથી દિલ્હી (22462) સહિત નવી 28 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ખેડૂતોના આંદોલનને કારણે મંગળવારે બીજા દિવસે પઠાણકોટ-જમ્મુ તાવી રેલ સેક્શન પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. રેલવેએ દેશના ઘણા રાજ્યોમાંથી જમ્મુ તાવી અને કટરા જતી તમામ 36 ટ્રેનો રદ કરવી પડી હતી. ટ્રેનો કેન્સલ થવાના કારણે પઠાણકોટ સહિત દેશના અનેક રાજ્યોમાં જતા મુસાફરો અને ખાસ કરીને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના કેન્ટ સ્ટેશન પર ફસાયેલા મુસાફરોએ ટ્રેન શરૂ થવાની રાહ જોતા રેસ્ટ હાઉસ અથવા પ્લેટફોર્મ પર રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું. ટ્રેનો કેન્સલ થવાને કારણે સિટી અને કેન્ટ રેલવે સ્ટેશન પરથી 429 મુસાફરોને 1.92 લાખ રૂપિયા રિફંડ કરવામાં આવ્યા હતા. પઠાણકોટ-અમૃતસર અને પઠાણકોટ-જોગીન્દરનગર રેલ સેક્શન પરની તમામ ટ્રેનો તેમના નિર્ધારિત સમય પર ઉપડી હતી.
લાંબા અંતરની ટ્રેનો રદ થવાને કારણે બસોમાં મુસાફરોની સંખ્યા બમણી થઈ ગઈ છે. પઠાણકોટમાં ફસાયેલા મુસાફરો અહીંથી લુધિયાણા બસ પકડીને તેમના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવેલા ભક્તોને બસોમાં જમ્મુ જવાની ફરજ પડી છે. મંગળવારે બસ સ્ટેન્ડ પર જમ્મુ અને લુધિયાણાની બસો કાઉન્ટર પર મુકાય તે પહેલા જ સંપૂર્ણ ભરાઈ ગઈ હતી. બસોમાં સીટો મેળવવા બાબતે બબાલની સ્થિતી ઉત્પન્ન થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
