રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો, 25 જૂનથી અમલી
નવી દિલ્હી, 20 જૂન : રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન મુસાફરી 25 જૂનથી મોંઘી થઈ જશે. આમ કરવાથી રેલવેને રૂપિયા 8000 કરોડની આવક મળશે.
ભારતીય રેલવેએ માલની હેરફેર માટેના નૂરનાં દરોમાં પણ વધારો કર્યો છે. આ વધારો 6.5 ટકા છે. રેલવે મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, ઉતારુ ભાડાં અને નૂરનાં દરોમાં વધારો કરવાનું અનિવાર્ય છે, કારણ કે રેલવેની નાણાકીય સ્થિતિ એટલી સારી નથી.

આ પહેલાની યુપીએ સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે, ગયા ફેબ્રુઆરીમાં વચગાળાના રેલવે બજેટમાં ઉતારુ ભાડાંમાં વધારો કરવાનું ટાળ્યું હતું.
રેલવેએ ગઈ 16 મેના રોજ મુસાફરી ભાડાંમાં 14.2 ટકા અને 20 મેએ નૂરનાં દરોમાં 6.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, પણ તેનું નોટિફિકેશન બહાર પાડવાનું મોકૂફ રાખ્યું હતું અને તે નિર્ણય નવા રેલવે પ્રધાન પર છોડી દીધો હતો.
ભારતીય રેલવે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને વિસ્તારવા માટે નાણાની જરૂર છે. આ નાણા યાત્રી ભાડામાંથી વસૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાનમાં પેસેન્જર સબ્સિડીનો આંક રૂપિયા 26,000 કરોડને સ્પર્શી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
