મોંઘવારી મુદ્દે રાહુલના પ્રહાર, દેશમાં આર્થિક અને નેતૃત્વનું સંકટ-રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન પર નારાજગી વ્યક્ત કર્યા બાદ બુધવારે તેમણે તેલ અને ગેસના વધતા ભાવોને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેલના વધતા ભાવને કારણે સામાન્ય લોકો દુખી છે. તેની સીધી અસર જનતાના ખિસ્સા પર પડે છે. બીજી બાજુ પરિવહનમાં વધારો થવાને કારણે ફુગાવો વધે છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ મીટિંગમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત આર્થિક અને નેતૃત્વના સંકટમાં છે.

ભાજપ સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ અગાઉ કહ્યું હતું કે હું નોટબંધી કરી રહ્યો છું અને નાણામંત્રી કહેતા રહે છે કે હું મુદ્રીકરણ કરી રહ્યો છું. ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, MSMEs, પગારદાર વર્ગ, સરકારી કર્મચારીઓ અને પ્રામાણિક ઉદ્યોગપતિઓનું ડિમોનેટાઇઝેશન થઇ રહ્યું છે અને મોદીજીના 4 મિત્રોનું મુદ્રીકરણ કરવામાં આવી રહ્યું છે.
ગેસ સિલિન્ડરની વધતી કિંમતો પર રાહુલ ગાંધીએ કહ્યું કે 2014 માં જ્યારે યુપીએએ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી અને આજે સિલિન્ડરની કિંમત 885 રૂપિયા છે. સિલિન્ડરની કિંમતમાં 116%નો વધારો થયો છે. 2014 થી પેટ્રોલની કિંમતમાં 42% અને ડીઝલની કિંમતમાં 55% નો વધારો થયો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત આજની સરખામણીમાં 32% વધારે હતી અને ગેસની કિંમત 26% વધારે હતી. ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહ્યા છે અને ભારતમાં વધી રહ્યા છે. બીજી બાજુ અમારી મિલકતો વેચવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારે જીડીપી એટલે કે ગેસ, ડીઝલ, પેટ્રોલથી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ 23 લાખ કરોડ રૂપિયા ક્યાં ગયા?
પીએમ અને નાણામંત્રી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી, નાણામંત્રી ગભરાટમાં છે, તેમને સમજાતું નથી કે શું કરવું? આપણા વડાપ્રધાન ડરી ગયા છે, આ જોઈને ચીન પણ પોતાની યોજના બનાવી રહ્યું છે કે જો ભારત આર્થિક અને નેતૃત્વની કટોકટીમાં હોય તો આપણે જે કરી શકીએ તે કરી લઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
