મોદીએ તમારા પૈસાથી અમીરોના દેવા માફ કર્યા છે: રાહુલ ગાંધી
જૌનપુરની રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહારો, કહ્યું મોદીએ દેશની જનતાને ત્રસ્ત કરી દીધા છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જૌનપુરની વિશાળ જનસભામાં પીએમ મોદી પર અનેક આકારા પ્રહારો કર્યો. તેમણે કહ્યું કે મોદીજીની કાળા નાણાં પર આ સર્જિકલ સ્ટ્રાઇક નહી પણ ભારતની જનતા પર ફાયર બોમ્બિંગ કર્યું છે.

તમારા પૈસે અમીરોના દેવા માફ
8 લાખ કરોડ રૂપિયા ભારતના 50 પરિવારોએ બેંકોથી લઇને રાખ્યા છે. નરેન્દ્ર મોદીએ આ લોકોથી પૈસા નથી લઇ શકતા. માટે તેમણે 99 ટકા ગરીબ લોકોથી પૈસા છીણવીને તેને બેંકમાં નખાવ્યા છે. અને આવનારા દિવસોમાં મોદી આ પૈસાથી આ પરિવારોના 8 લાખ કરોડ રૂપિયાના દેવાને માફ કરશે.
મોદીજીનું પ્લાનિંગ ઠીક છે
કેટલાક લોકો કહે છે કે મોદીજીનું પ્લાનિંગ ખોટું છે. પણ હું કહુ છું કે તેમનું પ્લાનિંગ બિલકુલ ઠીક છે. કારણ છે તેનું પાછળનું લક્ષ્ય. પૈસાની સીમા જાણી જોઇને નક્કી કરવામાં આવી છે. જેથી કરીને તમારા પૈસા બેંકોમાં જમા રહે. આવનારા સમયમાં 8 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવશે. જે તમારી મહેનતના હશે.
99 ટકા લોકો નોટબંધી વિરુદ્ધ
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દેશથી ભષ્ટ્રાચાર દૂર કરવા માંગે છે. કેન્દ્ર સરકારે તેવો કોઇ નિર્ણય નથી લીધો જેનું અમે સમર્થન કરીએ. પણ નોટબંધીનો આ નિર્ણય તો ભષ્ટ્રાચાર અને કાળા નાણાં બન્નેની વિરુદ્ધ છે. એટલું જ નહીં ગરીબ અને 99 ટકા લોકોના વિરુદ્ધ છે. આ નિર્ણય ગરીબો, મજૂરો અને ખેડૂતોના વિરુદ્ધ છે.
ખેડૂતોના દેવા પર ચુપ્પી
રાહુલ ગાંધીએ કહ્યું કે ગરીબ પ્રામાણિક લોકોનું મોદીજી કહ્યા વગર લોહી નીકાળી રહ્યા છે. જે જ્યારે પીએમને મળીને ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી તો તેમણે એક શબ્દ પણ નહતો કહ્યો.
માલ્યાને 1200 કરોડ રૂપિયાની ટ્રોફી
8 નવેમ્બર પછી નરેન્દ્ર મોદીએ 1200 કરોડ રૂપિયાની ટ્રોફી વિજય માલ્યાને આપી. તેનું દેવું માફ કરી દીધુ. વધુમાં સ્વિઝ બેંક પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું કે સ્વિટ્ઝરલેન્ડની સરકારે સ્વિસ બેંકની લિસ્ટ મોદી સરકારને આપી છે. તે તમામ નામ સરકાર પાસે છે. અમે અનેક વાર સંસદમાં કહ્યું છે કે તે ચોર લોકોના નામ સંસદમાં આપો.
ડરી ગયા છે મોદી
જનતાના સવાલોને જોઇને નરેન્દ્ર મોદી ડરી ગયા છે. મોદી તે 50 પરિવારોના કારણે આ સત્તામાં આવ્યા છે. અને તેના કારણે જ ટીવી પર આવે છે. અને તેમના મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવે છે. તેનાથી બચવા માટે કાળાનાણા પર સર્જિકલ સ્ટ્રાઇકનો આઇડિયા નીકાળવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
