રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી, હવે બાળ આયોગે કાર્યવાહી માટે પત્ર લખ્યો!
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ તાજેતરમાં જ લોક કરવામાં આવ્યું હતું અને બ્લુ ટિક પણ થોડા સમય માટે દૂર કરવામાં આવ્યુ હતું.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ તાજેતરમાં જ લોક કરવામાં આવ્યું હતું અને બ્લુ ટિક પણ થોડા સમય માટે દૂર કરવામાં આવ્યુ હતું.આ ઘટના બાદ વિવાદ ઉભો થયો હતો. રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર સંસદમાં બોલવા દેતી નથી અને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બ્લોક કરાવે છે. રાહુલ ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક ગ્રાફિક્સ પણ શેર કર્યુ છે. જેમાં ટ્વિટરનો લોગો દોરડાથી બંધાયેલો છે અને કેપ્શન લખ્યું છે 'ડિજિટલ દાદાગીરી નહીં ચાલે.'

ટ્વિટર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ પણ રાહુલ ગાંધીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંચનું કહેવું છે કે રાહુલ ગાંધીએ બળાત્કાર પીડિતાના માતા-પિતાની ઓળખ જાહેર કરીને પોક્સો એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ કિસ્સામાં, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. પંચે આ સંદર્ભમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પત્ર લખ્યો છે.
ફેસબુકને લખેલા પત્રમાં એનસીપીસીઆરએ કહ્યું કે તેણે રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક વીડિયો જોયો છે, જેમાં છોકરીના માતા-પિતાની ઓળખ જાહેર કરવામાં આવી છે. તેમના મતે, આ વિડીયોમાં છોકરીના પિતા અને માતાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે, જે કાયદાનું ઉલ્લંઘન કરે છે.
પંચે ફેસબુકને રાહુલ ગાંધીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સામે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. અપલોડ કરેલો વીડિયો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) અને ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવો જોઈએ. એનસીપીસીઆરનું કહેવું છે કે બાળકીના માતા-પિતાની ઓળખ જાહેર કરવાથી કિશોર ન્યાય અધિનિયમની કલમ 74, પોક્સો અધિનિયમની કલમ 23 અને ભારતીય દંડ સંહિતાની કલમ 228A નું ઉલ્લંઘન થાય છે.
અગાઉ એનસીપીસીઆરની ફરીયાદ બાદ જ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું અને તેની સાથે અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા હતા. આરોપ છે કે રાહુલ ગાંધી કથિત રીતે બળાત્કાર પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી એનસીપીસીઆરએ ટ્વિટર પર બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ટ્વિટર ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહ્યું છે અને સરકારના ઈશારે નાચી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
