અદાણી પાસે 20 હજાર કરોડ ક્યાંથી આવ્યા, પીએમ મોદી જણાવે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાતની સુરત કોર્ટે ગુરુવારે તેને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. જો કે તેને તરત જ જામીન મળી ગયા હતા. જે બાદ તેઓ શુક્રવારે લોકસભાની કાર્યવાહીમાં પહોંચ્યા હતા. દરમિયાન, બપોરે, લોકસભા સચિવાલયે તેમના સંબંધમાં એક જાહેરનામું બહાર પાડ્યું. જે અંતર્ગત તેમનું લોકસભાનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે રાહુલ ગાંધી આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે.

રાહુલ ગાંધીએ PCની શરૂઆતમાં અદાણી ગ્રુપનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમની કંપનીમાં કોઈએ 20,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સરકાર તેમનું નામ નથી જણાવી રહી. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણે દરરોજ આના ઉદાહરણો જોઈ રહ્યા છીએ. મેં સંસદમાં પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો પૂછ્યા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે સંસદમાં આપેલું મારું ભાષણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને બાદમાં મેં લોકસભા અધ્યક્ષને વિગતવાર જવાબ લખ્યો હતો. કેટલાક મંત્રીઓએ મારા વિશે જૂઠું બોલ્યું કે મેં વિદેશી શક્તિઓ પાસેથી મદદ માંગી. પણ મેં એવું કંઈ કર્યું નથી. હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું, પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવતો રહીશ.
સંસદમાં આપેલું મારું ભાષણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને બાદમાં મેં લોકસભા અધ્યક્ષને વિગતવાર જવાબ લખ્યો હતો. કેટલાક મંત્રીઓએ મારા વિશે જૂઠું બોલ્યું કે મેં વિદેશી શક્તિઓ પાસેથી મદદ માંગી. પણ મેં એવું કંઈ કર્યું નથી. હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું, પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવતો રહીશ.
રાહુલ ગાંધી કહ્યું કે મેં અદાણી પર માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો હતો... હું પ્રશ્નો પૂછતો રહીશ અને ભારતમાં લોકશાહી માટે લડતો રહીશ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા પછીના દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી અને અદાણી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ આખું નાટક છે જે વડા પ્રધાનને એક સરળ પ્રશ્નથી બચાવવા માટે રચવામાં આવ્યું છે - અદાણીની શેલ કંપનીઓમાં ₹20,000 કરોડ કોના ગયા? હું આ ધમકીઓ, ગેરલાયકાત અથવા જેલની સજાથી ડરતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રા પર મારું કોઈ પણ ભાષણ જુઓ, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત ન હોવી જોઈએ, હિંસા ન હોવી જોઈએ. આ ઓબીસીનો મામલો નથી, નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધોનો મામલો છે. ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે, ક્યારેક ઓબીસીની વાત કરશે, તો ક્યારેક વિદેશની વાત કરશે. સરકારની ગભરાટભરી પ્રતિક્રિયાથી વિપક્ષને સૌથી વધુ ફાયદો થશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મને સત્ય સિવાય કશામાં રસ નથી. હું માત્ર સાચું બોલું છું, એ મારું કામ છે અને હું અયોગ્ય ઠરાઈશ કે ધરપકડ થઈશ તો પણ કરતો રહીશ. આ દેશે મને બધું આપ્યું છે અને તેથી જ હું આવું કરું છુ. અદાણી પરના મારા આગામી ભાષણથી વડાપ્રધાન ડરી ગયા છે અને મેં તેમની આંખોમાં જોયું છે. તેથી જ, પહેલા ભટકાવ્યા અને પછી ગેરલાયક ઠેરવવામાં આવ્યો.
ભાજપના આરોપો પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ક્યારેય કોઈ ચોક્કસ જાતિને નિશાન બનાવ્યું નથી. તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદમાં હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
