સપા-બસપા ગઠબંધન પર બોલ્યા રાહુલ ગાંધી- અખિલેશ યાદવ અને માયાવતી પ્રત્યે સન્માન છે
સપા-બસપા ગઠબંધન પર શું બોલ્યા રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનના એલાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોંચેલ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉત્તર પ્રદેશના લોકોને આપવા માટે ઘણું બધું છે. બસપા અને સપાના નેતાઓ પ્રત્યે મારા મનમાં સન્માન છે, તેઓ જે કરવા ઈચ્છે છે તે કરવાનો તેમને અધિકાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બસપા અને સપાએ એક રાજનૈતિક નિર્ણય લીધો છે. હવે એ અમારા પર છે કે કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે મજબૂત કરવામાં આવે અને પોતાની પૂરી ક્ષમતા સાથે લડીએ.

બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોંચેલા રાહુલ ગાંધીએ અન્ય કેટલાય મુદ્દા પર પોતાની વાત રાખી છે. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઈને પણ પોતાની વાત રાખી છે. તેમણે કહ્યું કે આરએસએસ વિચારી રહ્યું છે કે લોકોનો અવાજ અપ્રાસંગિક છે. 2019ની ચૂંટણીને જીતવાના કારણોમાંથી એક એ પણ છે કે અધિકારીઓ અને સંસ્થાઓથી મોટા પાયે પ્રતિક્રિયા આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે અમે આ સ્વીકાર કરીશું નહિ. જ્યારે પાકિસ્તાન પર પોતાની વાત રાખતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધ માટે છું, હું પાકિસ્તાન તરફથી નિર્દોશ ભારતીયો પર કરવામાં આવી રહેલ હિંસા બિલકુલ સહન નહિં કરું.
Congress President Rahul Gandhi in Dubai: Congress party has tremendous to offer to the people of Uttar Pradesh. I have tremendous respect for the leaders of BSP and SP, they have a right to do what they want to do. pic.twitter.com/JgfnsTMeuo
— ANI (@ANI) January 12, 2019
આવી રીતે કરી સીટની વહેંચણી
સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના મુખ્યા માયાવતીએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સ કરી ગઠબંધનનું એલાન કરી દીધું છે. જેમાં સીટોની વહેંચણીને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બંને પા્ટી યૂપીની 80 લોકસભા સીટમાંથી 38-38 સીટ પર ચૂંટણી લડશે, જ્યારે 2 પર આરએલડી અને 2 કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. ગઠબંધનનું એલાન કતાં માયાવતીએ કેન્દ્નની મોદી સરકાર પર પણ હુમલો બોલ્યો છે.
આ પણ વાંચો- 'માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
