પીએમ મોદીએ બેન્કિંગ સિસ્ટમ બરબાદ કરી નાખી: રાહુલ ગાંધી
દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત બાબતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે.
દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત બાબતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીએ દેશની બેન્કિંગ સિસ્ટમને પોતાની ખોટી નીતિઓને કારણે બરબાદ કરી નાખી છે, જેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીજી દેશના ગરીબ, મજુર, ખેડૂત માટે ખરાબ દિવસો અને નીરવ મોદી, મેહુલ ચોક્સી માટે અચ્છે દિન લઈને આવ્યા છે.

પીએમ અમારી સામે સંસદમાં ઉભા નહીં રહી શકે
રાહુલ ગાંધીએ કહ્યું કે નીરવ મોદી 30 હજાર કરોડ લઈને ઉડી ગયો. પરંતુ મોદીજી કઈ પણ કરી શક્યા નહીં. તેમને ખાલી સામાન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને આમને આપવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નીરવ મોદીને તેઓ નીરવ અને મેહુલ ચોકીને તેઓ મેહુલ ભાઈ કહીને બોલાવે છે. પરંતુ જણાવતા નથી કે આટલા પૈસા લઈને તેઓ કઈ રીતે ભાગી ગયા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ સંસદમાં ઉભા થવાથી પણ ગભરાય છે. અમને ખાલી 15 મિનિટનો સમય મળે તો સંસદમાં પીએમ ઉભા પણ નહીં થઇ શકે, પછી તે રાફેલ ડીલ મામલો હોય કે નીરવ, મોદી પ્રધાનમંત્રી ઉભા નહીં થઇ શકે.

અરુણ જેટલીએ જણાવ્યું કે જલ્દી સંકટ પૂરું થશે
દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત પર અરુણ જેટલીએ જણાવ્યું કે દેશમાં પૈસાની સમીક્ષા કરવામાં આવી છે. દેશમાં પર્યાપ્ત માત્રામાં કેશ છે. બેંકોમાં પણ કેશ ઉપલબ્ધ છે. તેમને જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં અચાનક અને અસામાન્ય વૃદ્ધિને કારણે અસ્થાયી અછત સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આરબીઆઇ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં પૈસાની ખોટ નથી. એટીએમમાં રોકડ નાખવા માટે બેંકોમાં કેશ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં એટીએમ માં કેશની ખોટ છે જેને જલ્દી ઉકેલવામાં આવશે.

ઘણા રાજ્યોમાં કેશનું સંકટ
આપને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં રોકડ રકમ અંગે સંકટ છે. મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, અને ઝારખંડ જેવા ઘણા રાજ્યોમાં કેશ નથી મળી રહી. અહીં એટીએમ ખાલી પડ્યા છે તો બેંકો ઘ્વારા પણ હાથ ઉંચા કરી લેવામાં આવ્યા છે. આરબીઆઇ અને નાણાં મંત્રાલય ઘ્વારા જલ્દી આ સંકટ ખતમ કરવાની વાત કહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
