કોરોના માટેની કેન્દ્રની નીતિઓ પર રાહુલ ગાંધીએ કહ્યુ - ઘંટી વગાડો, પ્રભુના ગુણ ગાવ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એક વાર ફરીથી કેન્દ્ર સરકારની નીતિઓ પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની ગતિ અનેક ગણી વધી ગઈ છે. જેના કારણે હવે બે લાખથી વધુ દૈનિક નવા કેસો સામે આવી રહ્યા છે. સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સ્મશાન ઘાટોમાં શબના અંતિમ સંસ્કાર માટે જગ્યા ઓછી પડવા લાગી છે. મામલાની ગંભીરતાને જોતા સરકારે ઘણા કડક પગલાં લીધા છે પરંતુ તે પૂરતા સાબિત નથી થઈ રહ્યા. આના કારણે વિપક્ષ પણ સરકાર પર સતત નિશાન સાધી રહ્યુ છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એક વાર ફરીથી કેન્દ્ર સરકારની નીતિઓ પર નિશાન સાધ્યુ છે. તેમણે લખ્યુ - કેન્દ્ર સરકારની કોવિડ રણનીતિ, સ્ટેજ-1ની તુઘલખી લૉકડાઉન લગાવો. સ્ટેજ - 2 ઘંટી વગાડો. સ્ટેજ -3 પ્રભુના ગુણ ગાવ. એક દિવસ પહેલા જ તેમણે એક બીજી ટ્વિટમાં લખ્યુ હતુ કે ના ટેસ્ટ છે, ના હોસ્પિટલોમાં બેડ છે, ના વેંટીલેટર છે, ના ઑક્સિજન છે, વેક્સીન પણ નથી, બસ એક ઉત્સવનો ઢોંગ છે.
શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા માત્ર 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના 2,17,353 નવા દર્દી મળ્યા છે અને આ દરમિયાન 1185 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે. આરોગ્ય મંત્રાલયે એ પણ માહિતી આપી કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 1,18,302 દર્દીઓ રિકવર થયા છે. નવા કેસ મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 1,42,91,917 થઈ અને રિકવર દર્દીઓની સંખ્યા 1,25,47,866 થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
