જબરદસ્તી શ્રી રામનો નારો બોલાવવાની ઘટના પર રાહુલ ગાંધીએ પૂછ્યું, આર્ટિકલ 15-25 પણ વેચી દીધા?
જબરદસ્તી શ્રી રામનો નારો બોલાવવાની ઘટના પર રાહુલ ગાંધીએ પૂછ્યું, આર્ટિકલ 15-25 પણ વેચી દીધા?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો શેર કરતાં લોકોની અભિવ્યક્તિની આઝાદીને લઈને સવાલ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતાં લખ્યું કે શું સંવિધાનના અનુચ્છેદ 15 અને 25 પણ વેચી નાખ્યા? રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં વિવિધ જગ્યાએ મુસ્લિમ સમુદાયના લોકો સાથે જબરદસ્તી કરવામાં આવી રહી છે અને તેમને જબરદસ્તી શ્રી રામ બોલવાનું કહેવાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ઉજ્જૈનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં એક મુસ્લિમ ભંગાર વાળાને કેટલાક લોકો જબરદસ્તી શ્રી રામનો નારો લગાવવા મજબૂર કરી રહ્યા છે. આ વીડિયો સાથે આવા પ્રકારની જ જૂની ઘટનાઓના વીડિયોના સંકલનને શેર કરતાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું સંવિધાનના અનુચ્છેદ 15 અને 25 પણ વેચી નાખ્યા છે? જણાવી દઈએ કે સંવિધાનના અનુચ્છેદ 15 અંતર્ગત કોઈની પણ સાથે ધર્મ, જાતિ, નસ્લ, મહિલા-પુરુષ, જન્મ સ્થળના આધારે કોઈ ભેદભાવ ના કરી શકાય. જ્યારે અનુચ્છેદ 25 અંતર્ગત કોઈ પણ ધંધો પસંદ કરવા, પોતાની મરજીના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે.












Click it and Unblock the Notifications
