રાફેલ ડીલઃ સંરક્ષણ મંત્રાલયે કહ્યુ માત્ર અધૂરી છબી બતાવવાનો હેતુ
બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર ચૂંટણીની બરાબર પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા પર સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે.
બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર ચૂંટણીની બરાબર પહેલા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા પર સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ છે. સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે અરજીકર્તાઓએ દસ્તાવેજોને માત્ર અમુક જ અને અધૂરી છબી રજૂ કરવાના હેતુથી રજૂ કર્યા. સંરક્ષણ મંત્રાલયે આ સમગ્ર મામલાને એક વાર ફરીથી આંતરિક ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલી બાબત ગણાવી છે.

માત્ર એક તરફ પક્ષ
સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિવેદન જાહેર કરવામાં આવ્યુ. પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ, 'રિવ્યુ પિટિશન્સમાં અરજીકર્તા એ દસ્તાવેજો પર નિર્ભર હતા જેમાંથી અમુક સાર્વજનિક નહોતા કરાવી શકાતા.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે અરજીકર્તાઓ દ્વારા રજૂ કરાયેલ આ દસ્તાવેજ એ બતાવવામાં નિષ્ફળ રહ્યા છે કે મુદ્દાઓને કેવી રીતે લેવામાં આવ્યા, કેવી રીતે તેનો ઉકેલ લાવવામાં આવ્યો અને કેવી રીતે અધિકારીઓ પાસેથી જરૂરી અનુમતિ લેવામાં આવી. અરજીકર્તાઓ દ્વારા રજૂ કરાયેલ તથ્ય અને રેકોર્ડ અધૂરા અને એક તરફી પક્ષ દર્શાવનાર છે. રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે એ ચુકાદો કરવાનો હતો કે આની સાથે સંબંધિત જે દસ્તાવેજ લીક થયા છે તેના આધારે રિવ્યુ પિટિશનની સુનાવણી થશે કે નહિ.
Defence Ministry on SC allows admissibility of 3 documents in Rafale deal as evidence: It's reiterated that petitioners are using documents with intention to present a selective&incomplete picture of internal secret deliberations on a matter relating to National Security &Defence pic.twitter.com/U4fvs6CAf1
— ANI (@ANI) 10 April 2019
શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને રાફેલ ડીલ મામલે બુધવારે એ સમયે આકરો ઝટકો મળ્યો જ્યારે રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધારે સુનાવણીનો ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે આ સમગ્ર બાબતે સરકારના વાંધાઓને બાજુએ મૂકી દીધા. રાફેલ મામલે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચે એકમત ચુકાદો સંભળાવ્યો. ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે જે નવા દસ્તાવેજ સામે આવ્યા છે તેના આધાર પર આ મામલે રિવ્યુ પિટિશન પર સુનાવણી થશે. સીજેઆઈ ઉપરાંત સુનાવણીમાં જસ્ટીસ એસ કે કૌલ અને જસ્ટીસ કે એમ જોસેફ પણ શામેલ છે. સુપ્રીમ કોર્ટ હવે રિવ્યુ પિટિશન પર સુનાવણી માટે નવી તારીખ નક્કી કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
