એક ઈંચ પણ ખસવાના નહોતા અમિત શાહ, અમે 1000 કિમી પાછા ધકેલી દીધા
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)એ બિહાર સરકારના એનઆરસીના રાજ્યમાં લાગૂ નહિ કરવાના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર ખાસ કરીને અમિત શાહ પર નિશાન સાધ્યુ છે.
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)એ બિહાર સરકારના એનઆરસીના રાજ્યમાં લાગૂ નહિ કરવાના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. જેના પર આરજેડી નેતા તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર ખાસ કરીને અમિત શાહ પર નિશાન સાધ્યુ છે. ગુરુવારે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યુ, 'અમિત શાહે કહ્યુ હતુ કે તે એક ઈંચ પણ પાછળ નહિ હટે, આજે આરજેડી અને અમે બધા તેમને હજાર કિલોમીટર પાછળ ધકેલી દીધા છે.'

તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાએ મંગળવારે પ્રસ્તાવ પાસ કરીને કહ્યુ કે રાજ્યમાં એનઆરસી(રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર)ને લાગુ ન કરી શકાય. સાથે જ એનપીઆર (રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર)ને પણ 2010ના જૂના પ્રારુપમાં જ લાગુ કરવામાં આવશે. બિહાર સરકાર એનડીએના નેતૃત્વવાળી એવી પહેલી સરકાર છે જેમણે એનપીઆરને જૂના પ્રારુપમાં જ જારી કરવાની વાત કહી છે. તેજસ્વી યાદવે પ્રસ્તાવ પાસ થયા બાદ ટ્વિટ કર્યુ અને કહ્યુ, 'એનઆરસી અને એનપીઆર પર વિધાનસભામાં સર્વસંમતિથી અમારો પ્રસ્તાવ પાસ થયા બાદ અમે રાજ્ય સરકારને પૂરજોરમાં માંગ કરીએ છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા તેમજ માનવતા વિરોધી નાગરિકતા સુધારા કાયદા સામે આ સત્રમાં સંકલ્પ પ્રસ્તાવ પાસ કરવામાં આવે નહિતર અમારી લડાઈ ચાલુ રહેશે.'
વળી, મુખ્યમંત્રી નીતિશ કુમારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે રાજ્યમાં એનઆરસી લાગુ નહિ થાય. તેમણે દરભંગામાં એક સભાને સંબોધિત કરીને ફરીથી કહ્યુ હતુ કે બિહારમાં એનઆરસી લાગુ નહિ થાય. તેમણે એનપીઆર પર પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે એનપીઆરને 2010માં કરેલ રીતે જ અદ્યતન કરવામાં આવશે. જો કે નાગરિકતા સુધારા કાયદા(સીએએ) માટે તેમણે મૌન જાળવી રાખ્યુ. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ગયા વર્ષે જ એનઆરસીના વિરોધમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ ઉપરાંત કેરળ, પંજાબ અને રાજસ્થાન પણ સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
