પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર
પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર
પુરીઃ ઓરિસ્સાના પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરમાં શુક્રવારે હજારો ભક્તોએ કલાકો ઈંતેજાર કર્યા બાદ નિરાશ થઈ પરત ફરવું પડ્યું. કેમ કે પંડા અને પોલીસ વચ્ચે થયેલ મારપીટ બદ પંડિતોએ મંદિરના કપાટ ખોલવાની ના પાડી દીધી. ગુરુવારે રાત્રે મંદિર પરિસરમાં જ પોલીસ અને પુજારીઓ વચ્ચે મારપીટ થઈ હતી. ઘટનાને પગલે એક પુજરી ઘાયલ થયો હતો. બંને તરફથી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીત પરીજ અને સેવાયત ભવાની શંકર મહાપાત્રની વચ્ચે મારપીટની વચ્ચે મારપીટ થઈ હતી.

અધિકારીઓએ આરોપ લગાવ્યો
અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે મંંદિરમાં પંડા ભવની શંકર મહાપાત્રા ગુરુવારે સાંજે મંદિરની અંદર ત્રણ ભક્તોને લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. મુખ્ય ગેટ પર પોલીસે તેમને રોક્યા કેમ કે તેમને શંકા હતી કે તે શખ્સ હિન્દુ નથી. મંદિરમાં માત્ર હિન્દુ જ પ્રદેશ કરી શકે છે. 1984માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને પુજારીઓએ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી નહોતી આપી કેમ કે તેમણે એક પારસી સાથે લગ્ન કર્યાં હતાં. 2006માં એક સ્વિસ નાગરિક એલિજાબેથ જિગલરે મંદિરમાં 1.78 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, છતાં તેમને મંદિરમાં નહોતા જવા દેવાયા કેમ કે તેઓ ઈસાઈ હતી.

પરીજાએ પંડાને રોક્યો
ગુરુવારે જ્યારે પોલીસ કોન્સ્ટેબલે વિશ્વજીત પરીજાએ પંડાને રોક્યો તો શંકર મહાપાત્રએ કહ્યું કે આ ભક્ત બંગાળી છે, જે વાતને લઈ બંને વચ્ચે હાથાપાઈ થઈ. મહાપાત્રાએ કહ્યું કે મંદિરમાં પોલીસકર્મીઓએ બિનજરૂરી બબાલ કરી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાની કોશિશ કરી. પર્યટક તમામ બંગાલથી હતા, પરંતુ પોલીસે અંદર જવા દેવાની મંજૂરી નહોતી આપી. મંદિર પ્રશાસન અમારા અધિકારોને દબાવી રહ્યું છે. જેને સહન ન કરી શકાય.

સમાધાનની કોશિશ
આ ઘટના બાદ મહાપાત્ર અને પોલીસ કોન્સ્ટેબલ બંનેએ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ એફઆઈઆર નોંધાવી છે. મામલાને શાંત પાડવા માટે મંદિર પ્રશાસન અને સેવાયતોના વચ્ચે સમાધાનની કોશિશ કરવામાં આવી પરંતુ તે નિષ્ફળ રહી. પુજારીઓએ કોન્સ્ટેબલની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માગણી કરી. બીજી બાજુ મંદિર બંધ થતાં હજારો ભક્તોએ દર્શન કર્યા વિના જ પરત ફરવું પડ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
